પીએમ મોદી પહોંચ્યા અંબાજી: માતાજીની પૂજા કરીને સૌથી મોટા શ્રીયંત્રનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે પીએમ મોદીએ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા છે. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તો આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે.

આજે પીએમ મોદીએ અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા છે. પીએમ મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી છે. પીએમ મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી છે. પીએમ મોદીના આગમનને કારણે અંબાજીમાં સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના વતનના પ્રવાસમાં અનેક વિકાસકાર્યોને લીલી ઝંડી આપશે. આ સાથે નવા લોકાર્પણ પણ કરશે. રાજ્યને અંદાજે 6 હજાર કરોડના વિકાસ કામની ભેટ મેળશે. પીએમ મોદીએ તેમના પ્રવાસની શરૂઆતમાં જ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે. તો સરદાર પટેલની જન્મજયંતિના દિવસે એટલે 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. જેમાં ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.

