ઉનાળાની શરૂઆત થતાં પાણીકાપ શરૂ: રાજકોટના આ 5 વોર્ડના લોકોને આવતીકાલે નહીં મળે પાણી, 40 દિવસમાં ચોથો પાણીકાપ
ઉનાળાની શરૂઆત થતાં જ મહાપાલિકા દ્વારા ટાંકાની સફાઈ કરવાનું કારણ આગળ ધરી પાણીકાપ ઝીકવાનું શરૂ કરી દેવાતાં લોકોમાં દેકારો બોલી જવા પામ્યો છે. આ અંતર્ગત આવતીકાલે બુધવારે રાજકોટનાં 5 વોર્ડના અનેક વિસ્તારમાં પાણીકાપ ઝીકવામાં આવ્યો છે.
તંત્રના જણાવ્યા પ્રમાણે ઈસ્ટ ઝોનના વિનોદનગર પમ્પીંગ સ્ટેશન પર હેડર લાઈન બદલવાની કામગીરી તેમજ જીએસઆર (પાણીના ટાંકા)ની સફાઈ કરવાની હોય તેમજ સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ઉપર પાણીના ટાંકાની સફાઈ અને વાલ્વ મુકવાની કામગીરી કરવાની હોવાથી વોર્ડ નં.17, વોર્ડ નં.18, વોર્ડ નં.7, વોર્ડ નં.14 અને વોર્ડ નં.13માં આવેલી અનેક સોસાયટી અને વિસ્તારમાં પાણી મળશે નહીં.
આ પણ વાંચો :LPGની અછતથી હોટલ-રેસ્ટોરન્ટ પર સંકટ: મુંબઈના 20 ટકા હોટલ-રેસ્ટોરન્ટ બંધ,ચેન્નાઈ અને બેંગલુરુમાં પણ સ્થિતિ ગંભીર
જે વોર્ડમાં પાણી મળવાનું નથી તેમાં વોર્ડ નં.18ના રાધાકૃષ્ણનગર, રાધાનગર, રેઈનબો સોસાયટી, જવાહરનગર, શિવ પાર્ક, શ્રદ્ધા પાર્ક, શિવશ્રદ્ધા સોસાયટી, શ્રદ્ધાદીપ સોસાયટી, ગ્રીન પાર્ક, શ્રદ્ધાપુરી સોસાયટી, રાધાકૃષ્ણનગર, સુખરામ સોસાયટી સહિતની સોસાયટી ઉપરાંત ધરમનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વોર્ડ નં.17માં બાબરિયા કોલોની, અયોધ્યા સોસાયટી, સુભાષનગર, આશાપુરાનગર, કોઠારિયા રોડ, વોર્ડ નં.13માં નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાશનગર, પંચશીલ સોસાયટી, વોર્ડ નં.7માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર, વોર્ડ નં.14માં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરિયાનગર, શ્રમજીવી સોસાયટી, મયુર પાર્ક, પૂજારા પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.
