ચાંદીના સટ્ટામાં આસમાની સુલતાની: એક જ દિવસમાં રાજકોટના રોકાણકારોનાં રૂપિયા 50 કરોડથી વધુ સ્વાહા!
ચાંદીની સટ્ટાકીય ઉથલપાથલમાં એક જ રાતમાં રોકાણકારોનાં 45 થી 50 કરોડ સ્વાહા થઈ ગયા છે. ચાંદીના ભાવમાં એકાએક આવેલી તેજી બાદ ઉંધી સર્કિટ લગતા 24 કલાકમાં 85 હજાર જેટલો કડાકો આવતા રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.
આ અણધારા ઘટાડાને કારણે રાજકોટ-સૌરાષ્ટ્રમાં સટ્ટાકીય લેવડદેવડ કરનાર રોકાણકારોના અંદાજે 45 થી 50 કરોડ રૂપિયા એક જ રાતમાં સ્વાહા થઈ ગયા હોવાનો અંદાજ બુલિયન માર્કેટમાં લગાવી રહ્યા છે.
ચાંદીના ભાવ બે મહિનામાં બે લાખથી 4,00,000 સુધી પહોંચી ગયા હતા. છેલ્લા દસ દિવસમાં ત્રણ લાખથી ભાવ 25% ઉછળીને 4 લાખને પાર થયા હતાં. ચાંદીમાં આવેલી આ તેજી ખૂબ જ ઝડપી અને સટ્ટાની રમત હોવાનું જણાવ્યું હતું. ચાંદીની આ અણધારી તેજી ભવિષ્યમાં મોટા કડાકાનાં જોખમની આગાહી થઈ રહી હતી.
આ પણ વાંચો :રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્માર્ટ બસ સ્ટેશન બનશે: ટૂંક સમયમાં કામગીરી શરૂ,સાંસદ રામભાઇની પેસેન્જરોની સુવિધા માટેની રજુઆતનો પડઘો
એ દરમિયાને ગુરુવારે સોનુ અને ચાંદી બંને ધડામ દઈને પછડાટ આપતાં એક સાથે 85,000 જેવો ઘટાડો આવ્યો ને તેજીનો બલૂન ફૂટી ગયો છે.જેનાં સટ્ટામાં એક જ દિવસમાં 50 કરોડનું ધોવાણ થઈ જતાં આસમાની સુલતાની જોવા મળી હતી.
