Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

સોમનાથમાં PM મોદીના હસ્તે મહાઅભિષેક અને મહાભસ્મ આરતી થશે: વડાપ્રધાન ‘સોમનાથ ગાથા’ ઉપર નો ડ્રોન શો નિહાળશે

Wed, January 7 2026

કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન સોમનાથ મહાદેવ મંદિર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના લેખમાં કહ્યુ કે, સોમનાથ એ માત્ર મંદિર નથી પરંતુ આસ્થાનું કેન્દ્ર છે. ભારતનું સ્વાભિમાન છે. આ વાત અક્ષરસ સાચી છે. આ મંદિરનું વાતાવરણ જ એવુ છે કે અહી આવનાર કોઈ પણ મહાદેવ ભક્ત અભિભૂત થયા વગર રહી ન શકે. અહી રોજેરોજ મહાદેવના અલગ અલગ શણગાર સાથેના દર્શન તો અલભ્ય છે જ સાથોસાથ શ્રાવણ માસ કે શિવરાત્રીએ થતી પૂજાનું પણ ઘણું મહત્વ છે. આ મંદિર ઉપર હુમલો કરીને તેને ખંડિત કરવાની ઘટનાને એક હજાર વર્ષ પસાર થઇ ગયા છે પરંતુ આ મંદિરને ફરીથી બેઠુ કરવામાં આવ્યું છે અને આજે પ્રથમ જ્યોતિર્લીંગ સ્વરૂપે અડીખમ ઉભુ છે. આ મંદિરમાં થતી પૂજાનું તો મહત્વ છે જ પરંતુ મહંમદ ગઝનવીના હુમલાને 1000 વર્ષ પૂરા થયા છે. આ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થશે તે અનેક રીતે વિશેષ છે.

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં તા. 8 થી 11 એમ કુલ ચાર દિવસ વિશેષ કાર્યક્રમો યોજાયા છે અને મહત્વનું એ છે કે, આ ચારમાંથી બે દિવસ તો વડાપ્રધાન મોદી ખુદ હાજર રહેવાના છે. મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે અને તેમના માર્ગદર્શન હેઠળ જ આ પર્વની ઉજવણી થશે. સ્વાભિમાન પર્વ અંતર્ગત જે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તે કાંઇક વિશેષ છે. સૌપ્રથમ તો 8 જાન્યુઆરી એટલે કે ગુરુવારથી 72 કલાકના અખંડ ઓમકાર નાદ શરુ થશે. આ અખંડ નાદમાં બાળકો, યુવાનો અને વેદના જાણકાર લોકો જોડાશે. આ બધા જુદી જુદી બેચમાં વારાફરથી જોડાશે. ભજન મંડળીઓ પણ આ મંત્રનાદમાં જોડાશે. 

આ પણ વાંચો :1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે બજેટ : રવિવાર, શેરબજારમાં રજા અને ગુરુ રવિદાસ જયંતિ હોવા છતાં સરકાર એ જ દિવસે બજેટ રજૂ કરવા મક્કમ

બીજુ મહત્વનું આયોજન 1000 યુવાનો દ્વારા શંખનાદ થશે. આ પછી મહાઆરતી થશે અને કલા આરાધના કાર્યક્રમ યોજાશે. આ પછી તા. 9ના રોજ અખંડ મંત્ર નાદ ચાલુ રહેશે અને શંખનાદ પણ થશે. પ્રથમ દિવસની જેમ જ મહા આરતી અને કલા આરાધના કાર્યક્રમ યોજાશે.

તા. 10મીએ વડપ્રધાન સોમનાથ આવવાના હોવાથી થોડી ચહલપહલ વધુ દેખાશે. મંત્રોચ્ચાર અને શંખનાદ તથા મહા આરતી અને કલા આરાધના કાર્યક્રમ ઉપરાંત વડાપ્રધાન મોદીની હાજરીમાં સોમનાથ ગાથા વિષયક ગ્રાન્ડ ડ્રોન શો યોજાશે. આ ડ્રોન શો પછી વડાપ્રધાન રાત્રી રોકાણ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં જ કરવાના છે. આ સ્વાભિમાન પર્વ અંતર્ગત સૌથી મહત્વના કાર્યક્રમો તા.11મીએ યોજવાના છે.

11મીને રવિવારે સવારે વડાપ્રધાન મોદીના હસ્તે મહાભિષેક અને મહાભસ્મ આરતી યોજાશે. ઘણા લાંબા સમય બાદ નરેન્દ્ર મોદીના હસ્તે મહાઆરતી અને મહાભસ્મ આરતી યોજાનાર છે. આ પછી સોમનાથ મહાદેવના પ્રાંગણથી એક શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શૌર્ય યાત્રામાં 108 અશ્વસવાર જોડાશે અને તેની પાછળ નરેન્દ્રભાઈ મોદી પગપાળા આ યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન જુદા જુદા રાજ્યોના પરંપરાગત નૃત્ય પણ જોવા મળશે. આ યાત્રાની સમાપ્તિ સ્થળે વડાપ્રધાન મોદી એક શૌર્ય સભાને પણ સંબોધિત કરશે. આ સભાની સમાપ્તિ બાદ વડાપ્રધાન હેલીકોપ્ટર મારફત રાજકોટ આવશે અને વાઈબ્રન્ટ સમિટને ખુલ્લી મુકશે.

ભાજપના નેતાઓને આજે જ સોમનાથ પહોંચવા સૂચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના દર્શને અને પૂજા માટે આવી રહ્યા છે અને તા.8 થી જ સ્વાભિમાન પર્વ શરુ થઇ રહ્યું છે તે પૂર્વે તા. 7મીએ જ ભાજપના નેતાઓને સોમનાથ પહોંચી જવા સુચના આપવામાં આવી છે. ભાજપના એક નેતાએ કહ્યુ હતું કે, ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને મહાનગરના પ્રમુખો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, માર્કેિંટગ યાર્ડ તથા ડેરીના ચેરમેન સહિતનાને તા. 7મીએ સોમનાથમાં હાજર રહેવા જણાવાયુ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સોના-ચાંદીના વેપારીઓ પર તોલમાપ ખાતાની તવાઇ: 12 જવેલર્સ સામે કેસ નોંધાયા,34 હજારની ફી વસૂલાઇ

Next

1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે બજેટ : રવિવાર, શેરબજારમાં રજા અને ગુરુ રવિદાસ જયંતિ હોવા છતાં સરકાર એ જ દિવસે બજેટ રજૂ કરવા મક્કમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ICC ODI Rankings: કિંગ કોહલીએ ગુમાવ્યો નંબર 1નો તાજ! ન્યુઝીલેન્ડનો ડેરિલ મીચેલ વન-ડે રેન્કીંગમાં નંબર વન બન્યો
2 કલાક પહેલા
અહાન શેટ્ટીએ કમાણીમાં પિતા સુનિલ શેટ્ટીનો રેકોર્ડ તોડ્યો: ‘બોર્ડર’ માટે સુનિલને મળ્યા’તા લાખો રૂપિયા, દીકરાએ કરોડો રૂપિયા વસૂલ્યા
3 કલાક પહેલા
અહો આશ્ચર્યમ! બિગ બીના ઘરમાં ગોલ્ડન ટોયલેટ: એક્ટર વિજય વર્માએ સેલ્ફી સાથે શેર કરી વર્ષ 2016ની જૂની યાદ તાજી કરી
3 કલાક પહેલા
બજેટમાં સુરક્ષા માટે સીધો 20%નો વધારો થઈ શકે છે: સ્પેશ્યલ ઇકોનોમીક ઝોનના નિયમોમાં પણ થઈ શકે છે મોટા ફેરફાર
3 કલાક પહેલા
Categories

નેશનલ

2802 Posts

Related Posts

મણીપુરમાં 11 ઉગ્રવાદી ઝડપાયા, મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને શસ્ત્રો પણ હાથ લાગ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
શાહરુખ ખાને શા માટે મીકા સિંહની કાર 3 મહિના માટે પોતાના પાસે રાખી હતી ?? સિંગરે કર્યો ખુલાસો
Entertainment
11 મહિના પહેલા
રાજકોટ લોકસભા બેઠકમાં 70 ટકા મતદાન થાય તે માટે તંત્રના પ્રયાસો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર