નેપાળની બસ દુર્ઘટનાનો મૃત્યુઆંક ક્યાં પહોંચ્યો ? વાંચો
નેપાળમાં શુક્રવારે એક ભયાનક બસ અકસ્માત થયો હતો. હવે ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટના વિશે માહિતી આપી હતી. સ્થળ પર હાજર એક વ્યક્તિએ કહ્યું, “શુક્રવારે ભારતીય તીર્થયાત્રીઓને લઈને જતી બસ ઝડપથી વહેતી મર્સ્યાંગદી નદીમાં પડી ગયા પછી આ ઘટના ખૂબ જ દુ:ખદ હતી. કાઠમંડુ પોસ્ટે પર્યટન ઉદ્યોગસાહસિક અર્જુન ખનાલને ટાંકીને કહ્યું, “અમે ઘટનાના 5 થી 7 મિનિટમાં ત્યાં પહોંચી ગયા અને એક ભયાનક દ્રશ્ય જોયું હતું. શનિવારે એવી માહિતી અપાઈ હતી કે મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે. બસમાં કૂલ 43 યાત્રિકો હતા .
ખનાલે કહ્યું, “બસ રસ્તા પરથી લગભગ 150 મીટર નીચે પડી ગઈ હતી અને મુસાફરો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. “અમે જોયું કે ત્રણ ઘાયલ વ્યક્તિઓ બસની બારીઓમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.” “લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા, પરંતુ તેમને રસ્તા પર લાવવાનો પ્રયાસ કરવો અત્યંત મુશ્કેલ હતો,”
નેપાળમાં બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 27 ભારતીય તીર્થયાત્રીઓનું શનિવારે બાગમતી પ્રાંતની એક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહોને મહારાષ્ટ્ર લઈ જવામાં આવશે. મીડિયામાં એક સમાચારમાં આ જાણકારી આપવામાં આવી હતી. શુક્રવારે મધ્ય નેપાળમાં એક ભારતીય પ્રવાસી બસ હાઇવે પરથી ઉતરીને 150 મીટર સુધી ઝડપથી વહેતી મર્સ્યાંગડી નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 27 ભારતીય તીર્થયાત્રીઓના મોત થયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા. જોકે શનિવારે અપાયેલી માહિતી મુજબ 41 લોકોના મોત થયા છે.