મહારાષ્ટ્રમાં કોંગીને શું લાગ્યો ઝટકો ? જુઓ
- ક્યાં જોડાઈ શકે છે ?
લોકસભાની ચુંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય દોડાદોડી શરૂ થઈ છે અને કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી. હવે વધુ એક મોટા નેતાએ રાજીનામું આપી દીધું હતું.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપી દીધું હતું. હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે. ભાજપ એમને રાજ્યસભામાં મોકલે તેવી પણ ચર્ચા છે.
અશોક ચવ્હાણ હવે રાજીનામું આપ્યા બાદ ભાજપના કાર્યાલયે જશે અને વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મિલિંદ દેવડા, બાબા સિદ્દિકી બાદ હવે અશોક ચવ્હાણનો પાર્ટી છોડવાનો નિર્ણય કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સાબિત થઇ શકે છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને મોકલેલા પત્રમાં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધાની જાહેરાત કરી હતી.
આ દરમિયાન એવા પણ કેટલાક અહેવાલ છે કે જો અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ જશે તો તેમને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના અન્ય કેટલાક ધારાસભ્યો પણ પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા હોવા તેવા પણ સંકેત છે.