નિવૃત્ત જજે આરએસએસ અંગે શું કહ્યું ? વાંચો
ઓડિશા અને કોલકત્તા હાઇકોર્ટમાં જજ રહી ચૂકેલા નિવૃત્ત જસ્ટિસ ચિતરંજન દાસે એક મીડિયા મુલાકાતમાં એમ કહ્યું હતું કે કોઈને પણ પોતાની રાજકીય ઓળખ છુપાવવાની જરૂર નથી. હું આરએસએસનો સભ્ય હતો. એમણે કહ્યું કે મે જજ તરીકેની ફરજ બરાબર નિભાવી છે અને બંધારણ મુજબ કામ કર્યું છે.
દાસે એમ પણ કહ્યું હતું કે મારા કામમાં મારી વ્યક્તિગત ઓળખ ક્યારેય આડે આવી જ નથી. આરએસએસમાં દરેક વિચારધારાના લોકો હોય છે અને આ સંગઠન કોઈને પણ કોઇની વિચારધારા બદલવા માટે દબાણ કરતું નથી. બધા જ સ્વતંત્ર હોય છે. આ બારામાં સોચ બદલવાની જરૂર છે.
એમણે વધુમાં કહ્યું હતું કે આરએસએસ પોતાના 100 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. આ સંગઠનને કેટલાક લોકો અછૂત માને છે પણ સત્ય એ છે કે આ સંગઠને ક્યારેય કોઇના માઇન્ડ વૉશિંગની કોશિશ કરી નથી. મને તેનો વ્યક્તિગત અનુભવ છે. આ સંગઠન તો લોકોના વ્યક્તિત્વને ખિલવે છે. તે લોકોને સારા નાગરિક બનાવે છે.
સમાજના દરેક વર્ગને આ સંગઠન રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપે છે. આ કોઈ ક્રાંતિકારી સંગઠન નથી. એક જમાનામાં ઇન્દિરા ગાંધીને પણ સંગઠનની મદદની જરૂર પડી હતી. ચીન સાથેના યુધ્ધ વખતે પણ સંગઠને સારું કામ કર્યું હતું.