પશુધનના ભોજન માટે શું વ્યવસ્થા થશે ? જુઓ
વડાપ્રધાને શું કર્યું સૂચન ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પશુધન માટે ફૂડ સિક્યુરિરી માટે પગલાં લેવા માંગે છે અને આ દિશામાં એમણે કામગીરી શરૂ કરવાનું કહ્યું છે. પશુધનની ખાધ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશની ચાર દિશાઓમાં એક ચારા બેન્ક શરૂ કરવાની વાત આગળ કરી છે. આ વિચાર બધાને ગમી જાય તેવો છે.
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી. એમણે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાને આ વિચાર મૂક્યો હતો અને એમની ભાવના વ્યક્ત કરી હતી. પશુધન ક્ષેત્ર માટે મોદીની પ્રતિબધ્ધતાના એમણે વખાણ કર્યા હતા. મંત્રીમંડળની પાછલી બેઠકમાં પશુધન સંબંધે મુકાયેલા એક પ્રસ્તાવને મંજૂરી આપતી વખતે વડાપ્રધાને ચારા બેન્ક પર જોર આપ્યું હતું.
વડાપ્રધાને એવું સૂચન કર્યું હતું કે ચારા બેંકને વૈજ્ઞાનિક સિસ્ટમથી વિકસિત કરવામાં આવે તે જરૂરી છે. રૂપલાએ કહ્યું હતું કે જે રીતે આપણે મનુષ્યોના ભોજન વિષે વિચારી છીએ તેમ પશુધન માટે પણ વિચારવું જોઈએ અને એમના માટે પણ ખાધ્ય સુરક્ષા હોવી જોઈએ જેથી એમનું જીવન પણ સારું વીતી શકે.
આગામી દિવસોમાં પશુધન એક મહત્વનું અને પ્રમુખ ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે. ત્યારે પશુધન માટે ભોજન અંગે વિચારવું પડશે અને એમના માટે ચારા બેન્ક ખૂબ જ ઉપયોગી બનશે. થોડાક જ સમયમાં આ બારામાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.