Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

જજ ઉપર ખાનગી હિત ધરાવનારા લોકો દબાણ કરતા હોય છે

Mon, November 11 2024

આજે નિવૃત થઇ રહેલા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડે કરી ‘મન કી બાત’
અદાલતોના નિર્ણયો ઉપર પ્રભાવ લાવવા મીડિયાનો ઉપયોગ થાય છે.
નિવૃત્તિ પછી શું કરવું એ નિર્ણય સમજી વિચારીને લઈશ

સોમવારે નિવૃત થઇ રહેલા દેશના ચીફ જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડે સ્પષ્ટ કહ્યું હતું કે, કોર્ટમાં જજ ઉપર અનેક પ્રકારના દબાણ આવતા હોય છે. માત્ર રાજકીય દબાણ નહી પરંતુ ખાનગી હિત ધરાવનારા લોકો પણ દબાણ લાવતા હોય છે. તેમણે કહ્યું કે ઘણા કિસ્સામાં અદાલતોના નિર્ણય ઉપર પ્રભાવ લાવવા માટે મીડિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે ખાનગી હિત ધરાવતા જૂથો સમાચાર, ટીવી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે કરે છે અને આવા સંજોગોમાં ન્યાયાધીશ ઘણીવાર કોઈ ચોક્કસ દિશામાં જવા માટે દબાણ અનુભવે છે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ધ્યાન દોર્યું કે અહીં સ્વતંત્રતાની કિંમત ભારે ટ્રોલ થઈને ચૂકવવી પડે છે. અહી તમને ટ્રોલ કરવામાં આવશે, તમારા પર હુમલો કરવામાં આવશે,” “મને લાગે છે કે મેં સંતુલન બનાવવાનો પ્રયાસ કર્યો છે,તેણે ઉમેર્યું કે તેણે ક્યારેય પૂર્વ ધારણા મુજબ ચુકાદાને ફિટ કરવાનો પ્રયાસ કર્યો નથી.

તેમણે કહ્યું હતું કે, દેશના ચીફ જસ્ટીસ ઉપરાંત તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોએ વહીવટી બાજુએ સરકારો સાથે કામ કરવાની જરૂર છે.”હું હંમેશા સરકાર સાથે નિખાલસ રહ્યો છું,” CJI એ એવા સમયનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે સરકાર કોલેજિયમના નિર્ણયને સ્વીકાર્યો ન હતો. તેમણે પ્રમાણિકપણે ઉમેર્યું હતું કે, તમામ મતભેદો ઉકેલી શકાતા નથી”

આ મતભેદોનું કદાચ સૌથી જાણીતું ઉદાહરણ છે – સરકારે વકીલ સૌરભ કિરપાલને હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાના કોલેજિયમના નિર્ણયને હજુ સુધી માન્ય કર્યો નથી –

નિવૃત્તિ પછી શું કરશો તેવા સવાલના જવાબમાં ડી.વાય ચંદ્રચુડે કહ્યું હતું કે, આ બાબતે હજુ વિચાર્યું નથી. કોઈ પણ જજની એક છબી બની જતી હોય છે…લોકોની નજરમાં તમે કાયમ જજ રહો છો..

ટાઈમ્સ ઓફ ઇન્ડીયાના પત્રકારે પૂછ્યું કે તમે રાજકારણમાં જોડાશો, રાજ્યસભામાં જશો…તો તેના જવાબમાં ડી.વાય ચંદ્રચુડે કહ્યું હતું કે, હું આ પ્રશ્નનો જવાબ નહિ આપું કારણ કે જવાબ આપું તો એવું લાગે કે હું મારા પુરોગામી ચીફ જસ્ટીસ વિષે કોમેન્ટ કરું છું..મારા મનમાં તેમના માટે બહુ સન્માન છે. હું નિવૃત્તિ પછી મારી ગરિમાનું ધ્યાન રાખીશ અને જે કાંઇ કરીશ એ સમજી વિચારીને કરીશ.

બુલડોઝરરાજ સ્વીકાર્ય નથીઃ નિવૃત્તિ પહેલાં ચીફ જસ્ટીસ ચંદ્રચૂડનો અંતિમ ચુકાદો

નાગરિકોની સંપત્તિ નષ્ટ કરવાની ધમકી આપીને અવાજ દબાવી શકાય નહીં.

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર બુલડોઝરથી ન્યાય તોળતી હોય તેવી સ્થિતિ છે જેમાં કેસ ચાલે તે પહેલાં આરોપીઓના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવે છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે વિદાય લેતા પહેલાં અંતિમ ચુકાદામાં આવા બુલડોઝર રાજની ટીકા કરી છે. તેમણે કહ્યું કે દેશમાં બુલડોઝર ન્યાય સ્વીકાર્ય નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે નિવૃત્તિ પહેલાં મહત્ત્વના આદેશો અને ચુકાદા આપ્યા છે. બુલડોઝર એક્શનને વખોડતાં તેમણે કહ્યું કે, કાયદાના શાસન હેઠળ બુલડોઝરનો ન્યાય સ્વીકાર્ય નથી. જો તેની મંજૂરી આપવામાં આવે તો આર્ટિકલ 300 એ અંતર્ગત સંપત્તિના અધિકારની બંધારણીય માન્યતા ખતમ થઈ જશે.

સુપ્રીમ કોર્ટે છ નવેમ્બરે આ મામલે ચુકાદો આપ્યો હતો. પરંતુ તેનું સંપૂર્ણ જજમેન્ટ હવે અપલોડ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં એક પત્રકારના ઘર પર 2019માં બુલડોઝર ફેરવવા બદલ આ નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, બુલડોઝર મારફત ન્યાય તોળવામાં આવે, તે કોઈપણ સભ્ય વ્યવસ્થા માટે યોગ્ય નથી. આ અત્યંત ગંભીર જોખમ છે. રાજ્યના કોઈપણ અધિકારી દ્વારા મનમાની અને ગેરકાયદેસર વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવે તો જનતાની સંપત્તિઓ નષ્ટ થઈ જશે. નાગરિકોની સંપત્તિ અને ઘરોને નષ્ટ કરવાની ધમકી આપીને તેમનો અવાજ દબાવી શકાય નહીં. કોઈ પણ વ્યક્તિ પાસે તેની અંતિમ સુરક્ષા તેનું ઘર હોય છે, સંપત્તિ પર ગેરકાયદે કબજો અને અતિક્રમણ યોગ્ય નથી.

આ કેસમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે બી પારડીવાલા, અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે યોગ્ય કાર્યવાહીનું પાલન કર્યા વગર ઘર તોડી પાડવા બદલ અરજદારને રૂ.25 લાખનું અંતિમ વળતર આપવા નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત ઘર પર બુલડોઝર ફેરવવા માટે જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યો છે.17 સપ્ટેમ્બરે દેશભરમાં બુલડોઝરથી ન્યાય બંધ કરવા આદેશ અપાયો હતો. જો કે, અતિક્રમણ અને ગેરકાયદે કબજે કરવામાં આવેલી જમીન-મકાનો પર આ ચુકાદો લાગુ થતો નથી.

Share Article

Other Articles

Previous

સત્ય-પ્રેમ-કરુણા: રામકથાને `વધાવવા’ રાત-દિવસ તૈયારી

Next

૬૨૫ લીટર દેશી, ૧૪૪ બોટલ વિદેશી દારૂ પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

કોઈએ રિક્ષા ભાડે ન આપી એટેલે રિક્ષાની ચોરી કરી લીધી : તસ્કરની કબૂલાત 
ક્રાઇમ
7 મહિના પહેલા
જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયા અને ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરની નિયુક્તિ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ચુંટણીના પરિણામ બાદ ઘર્ષણ : જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, વાંકાનેરમાં ફટાકડા ફોડવા મામલે માથાકૂટ
ક્રાઇમ
4 મહિના પહેલા
PM મોદીએ કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલીઝંડી, જાણો કેટલું છે ભાડું, શું છે સુવિધા?
ગુજરાત
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર