છત્તીસગઢમાં કેટલા જવાનો થયા શહીદ ? જુઓ
છત્તીસગઢમાં સીઆરપીએફ કેમ્પ પર નકસલીઓએ મોટો હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જવાનો શહિદ થયા હતા. , જ્યારે 14 ઘાયલ થયા હતા. આ ઘટના રાજ્યના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર પાસેના ટેકલગુડેમ ગામમાં બની હતી. ઘાયલને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. બીજીતરફ હુમલાની સુચના મળતાં જ સીઆરપીએફ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરોને પકડવા શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું.
નકસલીઓ પર સકંજો કસવા અને સ્થાનિક લોકોને મદદ કરવા સુકમાના જગરગુણ્ડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 જાન્યુઆરીએ જ સુરક્ષા કેમ્પ લગાવાયો હતો. ત્યારબાદ સીઆરપીએફના કોબરા કમાન્ડો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા. આ દરમિયાન માઓવાદીઓ દ્વારા જવાનો પર આડેધડ ગોળીબાર કરાયો હતો.
સુરક્ષા દળના જવાનો પણ માઓવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપી કાર્યવાહી કરી હતી. ઘટનાસ્થળે સેનાના જવાનો સહિતનો કાફલો પહોંચતાં જ માઓવાદીઓ જંગલ તરફ ભાગી ગયા હતા.