જવાનો સાથે દિવાળી ઊજવતાં વડાપ્રધાને શું કહ્યું…… જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 10માં વર્ષે જવાનોની સાથે દિવાળીની ઊજવણી કરી હતી. તેઓ રવિવારે સવારે તિબેટથી આગળ હિમાચલ પ્રદેશના લેપ્ચા પહોંચ્યા હતા અને જવાનોને દિવાળીની શુભકામનાઓ આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું- બહાદુર જવાનોની સાથે દિવાળી ઉજવવા માટે હિમાચલ પ્રદેશના લેપ્ચા આવ્યો છું. એમણે જવાનોને મીઠાઇ ખવડાવી હતી. બધાને હાર્દિક શુભકામના આપી હતી. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું હતું કે જ્યાં સુધી જવાનો હિમાલયની જેમ અડગ ઊભા છે ત્યાં સુધી ભારત સુરક્ષિત છે.
2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી પોતાની પહેલી દિવાળી ઉજવવા માટે સિયાચિન ગયા હતા. તેમણે પોતાના હાથોથી જવાનોને મિઠાઈ ખવડાવી હતી. 2022માં તેમણે કારગિલમાં જવાનોની સાથે દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે બહાદુર જવાનોની વચ્ચે જઈને મારી દિવાળીની મિઠાસ વધી જાય છે.
વર્ષ 2014માં સિયાચિન ગ્લેશિયરમાં વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી.
ત્યાર બાદ વર્ષ 2018માં એમણે ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. પ્રધાનમંત્રીએ વર્ષ 2020માં દિવાળી રાજસ્થાનથી જેસલમેરમાં ઉજવી, વર્ષ 2021માં રાજૌરી જિલ્લાના નૌશહરા અને વર્ષ 2022માં કારગિલમાં દિવાળી ઉજવી હતી.