બાબા રામદેવ અને એમના સહયોગી શું આવ્યા ફરી મુસીબતમાં ? શું થયું ? જુઓ
યોગ ગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. કેરળની એક કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ આપ્યું છે. રામદેવ ઉપરાંત પતંજલિ યોગપીઠના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ પણ વોરંટ કાઢવામાં આવ્યું છે. એમની મુશ્કેલી સતત વધી રહેલી દેખાય છે .
પલક્કડ જિલ્લા કોર્ટે બંનેની ગેરહાજરીને કારણે આ વોરંટ જારી કર્યું છે. કેરળના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા દિવ્યા ફાર્મસી વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી કેસમાં તે હાજર થયા ન હતા.કોર્ટે બંને સામે 15 ફેબ્રુઆરીએ હાજર થવા માટે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું છે.
અગાઉ, 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટે બંને આરોપીઓ સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું જેથી તેઓ કોર્ટમાં હાજર થઈ શકે. આ કેસ દિવ્ય ફાર્મસી દ્વારા પ્રકાશિત કથિત ભ્રામક મેડિકલ જાહેરાતો સાથે સંબંધિત છે, જેના પગલે કેરળ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે કાર્યવાહી કરી હતી.
યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. તેમાં ભ્રામક જાહેરાતો, અવગણના અને ટ્રેડમાર્ક ઉલ્લંઘન જેવા કેસોનો સમાવેશ થાય છે. આ કેસોમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિને રાહત આપી છે. જોકે, કોર્ટે તેમને ચેતવણી આપી હતી કે જો તેઓ ફરીથી કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેમને સજાનો સામનો કરવો પડી શકે છે.