વાવાઝોડાની તબાહી બાદ તમિલનાડુમાં ભૂકંપ, 3.2ની તીવ્રતાનો આંચકો
ચેન્નાઈ
મિચૌંગ વાવાઝોડાના કારણે તમિલનાડુ મચેલી તબાહીના દ્રશ્યો હજી પણ દેખાઈ રહ્યા છે ત્યારે વધુ એક ઝાટકો તમિલનાડુને લાગ્યો છે. તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં શુક્રવારે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ અંગેની જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આપી હતી. આ ભૂકંપ ઉત્તરી TN જિલ્લામાં સવારે 7.39 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે “3.2ની તીવ્રતાનો ભૂકંપ, 08-12-2023, 07:39:22 IST ના રોજ આવ્યો હતો…. ઊંડાઈ: 10 કિમી…,”. ભૂકંપમાં જાનમાલનું નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા નથી.ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા આજે બહાર પાડવામાં આવેલા દૈનિક હવામાન બુલેટિન મુજબ, ચેન્નાઈ , તિરુવલ્લુર અને કાંચીપુરમ સાથે ચેંગલપટ્ટુમાં હળવો વરસાદ થવાની ધારણા છે.