UPSCની પ્રીલિમીનરી પરીક્ષા રાજકોટના 12 કેન્દ્રો પર યોજાશે, કંટ્રોલરૂમ કાર્યરત, ઉમેદવારોએ આ બાબત ધ્યાનમાં રાખવી
દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) એ ઘણા વિધ્યાર્થીઓનું સપનું હોય છે. આ પરીક્ષા આપી, પાસ થઈ IAS તેમજ IPS હોદ્દાઓ પર સ્થાન મેળવે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)દ્વારા તા.25 મે (રવિવાર)ના રોજ UPSC સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-2025 રાજકોટ જિલ્લાના 12 કેન્દ્રો ખાતે યોજાશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેના ફોન નં. 0281- 2476891 છે.
ઉમેદવારોએ આ બાબત ધ્યાનમાં રાખવી
- પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો માટે પ્રવેશ પેપર શરૂ થતા પહેલા 30 મિનીટ પહેલા બંધ કરવામાં આવશે.
- ઉમેદવારએ ઈ-એડમીટ કાર્ડ સાથે પ્રવેશ મળશે.
- ઈ-એડમીટ કાર્ડમાં અપાયેલ સુચનાઓનો ઉમેદવારોએ અભ્યાસ કરવો જરૂરી
- મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટસ, સ્માર્ટ/ડિજીટલ વોચ, બુક્સ, બેગ્સ, કોઇ કિંમતી વસ્તુઓ પરીક્ષા સ્થળે લઇ જઇ શકાશે નહીં.
- કિમતી વસ્તુઓની સાચવણીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે
- વસ્તુઓ પૈકી કોઇ પણ ગુમ થવાના કિસ્સામાં કમિશન જવાબદાર રહેશે નહી.
ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર ફક્ત ઇ-એડમીટ કાર્ડ, પેન, પેન્સીલ, આઈડેન્ટીટી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ તેમજ ઇ-એડમીટ કાર્ડમાં જણાવેલ વસ્તુઓ જ લઇ જઇ શકે છે.