સૌરાષ્ટ્રથી અખાતી દેશનો પ્રવાસ વધ્યો: 1 માર્ચથી અમદાવાદથી અબુધાબીની ફલાઈટમાં વધારો
ઈન્ડિગો,એરઅરેબિયા,એતિહાદ એરલાઇન ફ્રિકવન્સીમાં વધારો કરશે: ત્રણને બદલે સપ્તાહમાં પાંચ ફ્લાઈટ અખાતી દેશોમાં ઉડાન ભરશે
સૌરાષ્ટ્રથી ગલ્ફ દેશમાં જનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારે થયો છે ખાસ કરીને અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિર બન્યા બાદ ભાવિકોની સંખ્યા વધી છે. આ ઉપરાંત બિઝનેસ માટે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી વધતા ટ્રાફિકને લઈને અમદાવાદ એરપોર્ટ પરથી 1 માર્ચથી અબુધાબી માટેની નવી ફ્લાઈટ ઉડાન ભરશે.
પરીક્ષાઓની મોસમ ચાલી રહી છે ટૂંક સમયમાં પરીક્ષાઓ પૂર્ણ થતાં સમર વેકેશનમાં અબુધાબી, દુબઈ વગેરે દેશના પ્રવાસ માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હજુ સુધી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક પણ વિદેશી ફ્લાઈટ શરૂ થઈ નથી. આથી સૌરાષ્ટ્રના ટ્રાફિક અમદાવાદથી કનેક્શન
મેળવે છે.
અમદાવાદ થી અબુધાબી માટે ડેઇલી ચાર અને વિકલી એક ફ્લાઈટ ઉડાન કરી રહી છે હવે પ્રથમ માર્ચથી આ ફ્લાઈટની સંખ્યામાં વધારો થશે.ઈન્ડિગો, એર અરેબિયા અને એતિહાદ એરલાઇન્સ તેમની ફલાઈટ વધારશે.1 પ્રથમ માર્ચથી અબુધાબી માટે સપ્તાહમાં ત્રણ દિવસ સવારની ફ્લાઈટ ઉડાન ભરશે જેના લીધે હવે સપ્તાહમાં પાંચ ફ્લાઈટ વધારવાના આવી છે.