પોરબંદરના રાણાવાવ ખાતે પૂજ્ય જલારામ બાપાના મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ
અગણ્ય ભક્તોની જેમનામાં આસ્થા રહેલી છે તે પૂજ્ય જલારામ બાપાનું પોરબંદરના રાણાવાવ ખાતે ભેસાસુર બાપાના મંદિર નજીક ભવ્યાતિભવ્ય મંદિરનું શ્રી જય જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો હતો.

બે દિવસીય કાર્યક્રમ દરમિયાન લોકડાયરો, ભજન સંધ્યા, જલારામ બાપાના જીવનના તત્વજ્ઞાનની પ્રસ્તુતિ સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન આજે અષાઢી બીજે સવારે 9 વાગ્યાથી અલગ-અલગ કાર્યક્રમ યોજાશે સાથે સાથે 12 વાગ્યાથી જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : 79 કરોડના ખર્ચે રાજકોટના છ વોર્ડના રસ્તા રિપેર-પહોળા કરાશે : સાંસદ, MLA, કોર્પોરેટરની ગ્રાન્ટનો કરાશે ઉપયોગ

આ મંદિર નિર્માણ પાછળ શ્રી જય જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પંકજભાઈ બી.ખીલોચીયા, અશોકભાઈ કે.ગંડેચા, રિતેનભાઈ આર.રતનધારીયા, અશ્વિનભાઈ બી.રાયચુરા, જયસુખભાઈ આર.રાયચુરા, હસમુખભાઈ એમ.માખેચા, મુકેશભાઈ ડી.ધામેચા, મહેશભાઈ વી.મજીઠીયા, સ્વ.ભગવાનજીભાઈ ભાણજીભાઈ રતનધારીયાએ અથાગ જહેમત ઉઠાવી હતી.



