Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ઘરમાં શાકભાજી-ફ્રુટની ઉંમર ૨૦-૨૫ દિવસ વધારવાનો પ્રયોગ સફળ

Thu, July 25 2024

IITE ગાંધીનગર – લાઈફ સાયન્સના સંશોધકોએ કર્યો એલોવેરાયુક્ત એડિબલ કોટિંગ નો નવતર પ્રયોગ
પ્રોફેસર ડો. મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ વાણીયા યશવંત, વ્રજ પારગી, રાહુલ વણઝારા ઉપર અભિનંદનની વર્ષા

હાલના સમયમાં પરંપરાગત કેમિકલ અને વેક્સ આધારિત કોટિંગના બદલે એલોવેરાયુક્ત પ્રાકૃતિક સંસાધનોનો કોટિંગ તરીકે સફળતાપૂર્વક પ્રયોગ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના લાઈફ સાયન્સના એસોસિયેટ પ્રોફેસર ડો. મેહુલ પી. દવેના માર્ગદર્શનમાં એમ.એસ.સી – એમ.એડ. ના ત્રણ વિદ્યાર્થીઓ વાણીયા યશવંત, વ્રજ પારગી, રાહુલ વણઝારા દ્વારા આ નવતર સંશોધન હાથ ધરાયું જેમાં ડો. ભાનુ સોલંકી પણ સહમાર્ગદર્શક તરીકે સંકળાયેલ હતા. જેમાં તેઓએ વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીઓ જેમકે ટમેટાની વિવિધ પ્રકારની વેરાઈટી, શિમલા-મિર્ચ, રીંગણ વગેરે જેવા ફળો અને શાકભાજીઓ પર સફળતાપૂર્વક એલોવેરાયુક્ત એડિબલ કોટિંગના ઉપયોગ થકી સફળતાપૂર્વક અસરકારક પરિણામો મેળવેલ છે. આ સંશોધન માટે ઉપયોગમાં લેવાયેલ એલો વેરા ના છોડ પણ IITE પરિસરમાં જ આવેલા “સંજીવની મેડીસીનલ પાર્ક”માં ઉગાડવામાં આવ્યા છે.

વર્તમાન ખાદ્ય-ઉદ્યોગોમાં સ્વાદ, વિટામિન, ખનીજો, પોષકતત્વોની સામગ્રી, અને ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓની જીવનમર્યાદાને વધારવા એલોવેરા જેવા પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરીને એડિબલ કોટિંગ વિકસાવવામાં આવેલ છે. આ કોટિંગ ફળો અને શાકભાજીને ભેજ, પ્રકાશ, સૂક્ષ્મજીવાણુઓ અને ઓક્સિજનથી બચાવીને ઉત્પાદનોની જીવનમર્યાદાને વધારે છે. જેનો ઉપયોગ નેનો કોટિંગ તરીકે પણ કરી શકાય છે. વધુમાં ફળો અને શાકભાજીઓના ઉત્પાદનોમાં સ્વાદ, રંગ અને એન્ટીઓક્સિડન્ટ મૂલ્યોને વધારી શકે છે. આ એડિબલ કોટિંગ થકી ફળો તેમજ શાકભાજીઓની જીવન-મર્યાદા 20 થી 25 દિવસ સુધી સફળતાપૂર્વક વધારી શકાય છે.

આ પ્રકારના કોટિંગની કેન્સર સામે લડવાની ક્ષમતા પણ એન્ટી ઓક્સીડેંટ એક્ટીવીટી દ્વારા સાબિત કરાઈ છે. ફળો નું સુગર લેવલ, પ્રોટીન પ્રમાણ, ફીનોલ પ્રમાણ, ભેજ નું પ્રમાણ પણ આ કોટિંગ થકી પરંપરાગત વેક્સ કોટિંગ કરતા વધુ જળવાય છે. એલોવેરા ઘણા વિવિધ સક્રિય ઘટકોથી બનેલું છે. તેમાં ખનિજો, વિટામિન્સ, ઉત્સેચકો, એન્થ્રાક્વિનોન્સ, ફિનોલિક સંયોજનો, લિગ્નિન, સ્ટેરોલ્સ, સેપોનિન્સ, એમિનો એસિડ અને સેલિસિલિક એસિડનો સમાવેશ થાય છે. મેડિકલક્ષેત્રે ઘણા બધા સંશોધનો જણાવે છે કે એલોવેરામાં એન્ટિ-ડાયાબિટીક, એન્ટિ-ઓક્સિડન્ટ, ઇમ્યુનોમોડ્યુલેટરી અને કેન્સર વિરોધી ગુણધર્મો છે. એલોવેરામાં વીસ એમિનો-એસિડ જોવા મળે છે, જે માનવ આહાર માટે જરૂરી છે. એલોવેરામાંથી બનાવેલ એડિબલ કોટિંગ ફળો અને શાકભાજીના વજન, લંબાઈ, પહોળાઈ, જ્યુસ કન્ટેન્ટ, pH, ક્લોરોફિલ, પ્રોટીન, ફિનોલ, સ્ટાર્ચ, કેરોટીનોઈડસ, સુગર વગેરે જેવા કમ્પાઉન્ડની સાચવણીમાં અસરકારક ભાગ ભજવે છે. આ એડિબલ કોટિંગ થકી ફળો તેમજ શાકભાજીઓની જીવન-મર્યાદા 20 થી 25 દિવસ સુધી સફળતાપૂર્વક વધારી શકાય છે.

આ કોટિંગ ફળો અને શાકભાજીને ભેજ, પ્રકાશ, સૂક્ષ્મજીવાણુઓ અને ઓક્સિજનથી બચાવીને ઉત્પાદનોની જીવનમર્યાદાને વધારે છે. એડિબલ કોટિંગ ફળો અને શાકભાજીને ચળકતો દેખાવ આપે છે. એન્ટીફંગલ ગુણધર્મોને કારણે પણ એલોવેરાનો ઉપયોગ એડિબલ કોટિંગ તરીકે કરી શકાય છે. ભારતમાં, એલોવેરા “કુંવાર-પાઠુ” અને “ઘૃત-કુમારી” તરીકે પ્રખ્યાત છે. ચીન, ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને જાપાનમાં, આ ચમત્કારિક છોડનો પરંપરાગત દવાઓમાં 2,000 વર્ષ કરતા વધુ સમયથી ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા ઉષ્ણકટિબંધીય ફળો જેવા કે પપૈયા, ટામેટાં, દ્રાક્ષ અને ચેરી જેવા તેમજ સમશીતોષ્ણ ફળોમાં અસરકારક પરિણામો સાથે એડિબલ કોટિંગ તરીકે ઉપયોગી છે.

ફળો અને શાકભાજી એ તંદુરસ્ત આહારના આધારસ્તંભ છે. તાજેતરમાં લોકોમાં તેને માટે જાગૃતિ અને લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. હાલના તણાવયુક્ત જીવનશૈલી માટે તે વિટામિન, ખનીજો, એન્ટિઓક્સિડન્ટ, પોષકતત્વો અને સ્વાદયુક્ત સંયોજનથી ભરપૂર ખજાનાનો સ્ત્રોત છે. લલણી પછીના સમયગાળામાં સૂક્ષ્મજીવાણુઓ, જંતુઓ, શ્વસન અને બાષ્પોત્સર્જન એ ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ખૂબ મોટું નુકસાન કરે છે. વિકસિત અને વિકાસશીલ દેશોમાં, ફળો અને શાકભાજીની લલણી પછીનું નુકસાન અનુક્રમે 5 થી 25% અને 25 થી 40% ની વચ્ચે હોવાનો અંદાજ છે. વૈશ્વિક સ્તરે લગભગ 35 થી 40% ફળો અને શાકભાજી નાશ પામે છે. લણણી પછીની સારસંભાળ અને સંગ્રહની વિવિધ પરિસ્થિતિઓ આ નુકસાનના 54% માટે જવાબદાર છે. જો કે ભારતમાં દૂધ, માંસ, સમુદ્રી ખોરાક અને ઇંડા જેવા ઉત્પાદનોમાં નુકસાન 10 થી 25% ની વચ્ચે હોવાનો અંદાજ છે, જ્યારે ફળો અને શાકભાજીમાં લલણી પછીના સમયગાળા દરમિયાન નુકસાન 30 થી 40% ની વચ્ચે હોવાનો અંદાજ છે. તાજા ફળો અને શાકભાજીની જાળવણી અને સંગ્રહ એ લણણી પછીના સમયગાળા પર ખૂબ આધાર રાખે છે.

હાલના સમયમાં ભારતની વસ્તી ઝડપથી વધી રહી છે, અને આત્મનિર્ભરતા માટે લાંબા ગાળા માટે ફળો અને શાકભાજીને સાચવવું મહત્વપૂર્ણ છે. તેથી, તાજેતરના સમયમાં, તાજા ફળો અને શાકભાજીની જીવનમર્યાદાને વધારવા માટે અને તેમજ આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ કરાવવા માટે નવી તકનીકોના અમલીકરણની જરૂર છે. એડિબલ કોટિંગનો વિચાર ફળો અને શાકભાજીના ઉત્પાદનોની જીવનમર્યાદાને લંબાવવા માટે, ઉત્પાદનની ગુણવત્તા જાળવી રાખવા માટે તેમજ અસરકારક, પર્યાવરણને અનુકૂળ અને સસ્તી ટેક્નોલોજી તરીકે ઉભરી આવી છે.

ખાદ્ય ચીજવસ્તુઓનું રક્ષણ કરવા ઉપરાંત, આ એડિબલ કોટિંગ વધુ સુરક્ષિત છે અને તેમાં ઓક્સિજન અને ભેજ અવરોધ સહિત વધારાના અનેક ફાયદાકારક ગુણો છે. તાજેતરના સમયમાં સલામત અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ખાદ્ય ઉત્પાદનો માટે ગ્રાહકોની વધતી માંગને કારણે એડિબલ કોટિંગ ઉદ્યોગ અને સંશોધકો બંનેની રુચિ વધી છે. આ સંશોધન વિશે માહિતી મેળવી IITEના કુલપતિ પ્રો. કલ્પેશભાઈ પાઠકે ડો. મેહુલ દવે અને લાઈફસાયન્સ વિભાગના અધ્યાપકો તથા સંશોધકોની ટીમને અભિનંદન આપી પેટન્ટ પ્રાપ્ત કરવા તેમજ સ્ટાર્ટઅપ વિકસાવવા અનુરોધ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

ટાઉન પ્લાનિંગ સ્કેમ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન મામલે 24 કલાકમાં રિપોર્ટ માંગતા મ્યુનિસિપલ કમિશનર

Next

વોર્ડ નં.૩માં તો સમસ્યા હી સમસ્યા: ૯૦ ફરિયાદો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
10 કલાક પહેલા
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
11 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
12 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
12 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

ચુંટણી પંચે આપને કેવો આદેશ કર્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કેવું રહ્યું ? શું આવ્યો અહેવાલ ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ઝારખંડમાં હેમંત સોરેન ક્યારે શપથ લેશે ? કઈ તારીખ નક્કી થઈ ? જુઓ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
૧૮મીએ વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ : ભારતમાં નહી દેખાય
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર