અમદાવાદમાંથી પકડાયેલા આતંકીઓનો ઈરાદો પ્રસાદમાં ઝેર ભેળવી ખાનાખરાબી સર્જવાનો હતો : આ 2 પ્રસિદ્ધ મંદિરની રેકી કર્યાનો ખુલાસો
એક બાજુ દિલ્હીમાં આતંકીઓએ બ્લાસ્ટ કરી 13 નિર્દોષ લોકોના જીવ હણી નાખ્યા હતા ત્યારે તેના પહેલાં ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદના અડાલજ પાસે ટોલપ્લાઝાથી આઈએસકેપી કે જે આતંકી સંગઠન છે તેના ત્રણ આતંકીઓને જીવતા કારતૂસ, ત્રણ પીસ્તલ તેમજ એરંડીયાના તેલ પાસેથી પકડી પાડ્યા હતા. આ ત્રણેયને રિમાન્ડ ઉપર લેવામાં આવતાં જ તેમના ખતરનાક ઈરાદાનો પર્દાફાશ પણ થવા પામ્યો હતો. આ આતંકીઓએ અમદાવાદ, ગીર-સોમનાથ ઉપરાંત દેશના અન્ય મંદિરોની રેકી પણ કરી હતી અને જ્યાં વધુ ભક્તોની અવર-જવર રહેતી હોય ત્યાંના પ્રસાદમાં ઝેર ભેળવી મોટાપાયે ખાનાખરાબી સર્જવાની તેમની મેલી મુરાદ હોવાનું ખુલ્યું હતું.
ગુજરાત એટીએસ દ્વારા અહેમદ મોહિયુદ્દીન સૈયદ (ઉ.વ.35) કે જે તેલંગણાનો છે અને ચીનથી એમબીબીએસનો અભ્યાસ કરી ચૂક્યો છે તેની ઉપરાંત આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન કે જે બન્ને ઉત્તરપ્રદેશના છે તેમની ધરપકડ કરી હતી. આ ત્રણેય પાસેથી હથિયાર તેમજ એરંડિયાનું ચાર લીટર તેલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના નિશાના ઉપર ધાર્મિક સ્થાનો હતા જેમાં અમદાવાદનું જગન્નાથ મંદિર ઉપરાંત સોમનાથ મંદિર, લખનૌનું હનુમાન મંદિર ઉપરાંત દિલ્હીના અલગ-અલગ મંદિરો ઉપર તેમણે રેકી કરી હતી. આ લોકો દ્વારા મંદિરમાં ભક્તોને અપાતાં પ્રસાદમાં ઝેર ભેળવી ઘડીના છઠ્ઠા ભાગમાં તેમને મોતને ઘાટ ઉતારી દેવાની યોજના હતી.
પકડાયેલો અહેમદ સૈયદ કેમિકલમાં વિવિધ પ્રકારના અખતરા કરીને રાઈઝીન નામનું ખતરનાક ઝેર તૈયાર કરી રહ્યો હતો અને આ ઝેરનું એક ટીપું પ્રસાદ કે ખોરાકમાં ભેળવી દે એટલે પ્રસાદ-ભોજનનું ગ્રહણ કરતાં જ વ્યક્તિ તરફડીને મોતને ભેટતો હોવાથી મોટાપાયે જાનહાની કરવાના હતા પરંતુ તે પહેલાં જ પોલીસે તેમની ધરપકડ કરી લઈ ઈરાદાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું.
ગીર-સોમનાથમાં ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓને આશરો આપનાર મૌલવીની ધરપકડ
બીજી બાજુ ગીર-સોમનાથ પોલીસ દ્વારા ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓ ગીર-સોમનાથ આવ્યા હોય તેમની અટક કર્યા બાદ તેને આશરો આપનાર મૌલવી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડકરવામાં આવી હતી. પોલીસે નવાબંદર ગામમાં બાતમીના આધારે મસ્જિદમાં દરોડો પાડી તપાસ કરતા મદીના મસ્જિદના સંચાલક મહમ્મદઅમીન આજમમીયા બહારુની (રહે.નવાબંદર)એ પોતાની મસ્જિદમાં જમ્મુ-કાશ્મીરથી આવેલા ત્રણ લોકોને આશરો આપ્યો હોય તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ત્રણ કાશ્મીરી લોકો જેમાં મકસુદ અહેમદ ખાલીદહુસેન, મકસુદ અહેમદ અબ્દુલ લતીફ અનેજાવેદ અહેમદ મહમ્મદ રસીદ ચૌહાણની સઘન પૂછપરછ શરૂ કરી હતી.
આતંકીના ઘરમાંથી કેમિકલ બનાવવાનો સામાન કબજે ગુજરાત એટીએસ દ્વારા અડાલજ પાસેથી પકડાયેલા ડૉ.અહમદ મોહિયુદ્દીનસૈયદના હૈદરાબાદના રાજેન્દ્રનગરમાં આવેલા ઘરમાં દરોડો પાડી તલાશી લેવામાં આવતા ત્યાંથી કેમિકલ બનાવવાના સાધનો મળી આવતાં તેને કબજે કરવામાં આવ્યા હતા
