શેખ હસીનાનું ભાવી અધ્ધરતાલ : યુકેમાં રાજકીય આશ્રય મળવામાંઇમિગ્રેશન કાયદાનું વિઘ્ન ઉભુ થયુ
બાંગ્લા દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને યુકેમાં આશ્રય મળવા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.બાંગ્લા દેશથી ભાગીને ભારતમાં કામચલાઉ આશ્રય મેળવનાર શેખ હસીના યુકેમાં સ્થાયી આશ્રય લેવાના હોવાની અટકળો વચ્ચે યુકે હોમ મિનિસ્ટરી ના પ્રવક્તાએ ઇન્ડિગ્રેશન કાયદાની જોગવાઈઓનો હવાલો આપીકરેલા નિવેદનને કારણે શેખ હસીનાનું ભાવી પધ્ધરતાલ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ગૃહ મંત્રાલય ના પ્રવક્તાએ જણાવ્યું કે અન્ય દેશોના નાગરિકોને રક્ષણ આપવાનો યુકેનો ગૌરવભર્યો ઇતિહાસ છે પણ કોઈને આશ્રય મેળવવા માટે યુકે આવવાની મંજૂરી આપવાની ઇમિગ્રેશન કાયદામાં કોઈ જોગવાઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે આશ્રય મેળવવા માંગતી વ્યક્તિએ તેઓ સૌથી પહેલા સલામતી માટે જે દેશમાં ગયા હોય ત્યાં જ આશ્રય માંગવો જોઈએ.એટલે કે શેખ હસીનાએ ભારતમાં આશ્રય માંગવો જોઈએ તેવું યુકે કહેવા માંગે છે. આ સંજોગોમાં શેખ હસીનાને યુકે માં સ્થાયી આશ્રય મળશે કે નહીં તે સવાલ ઊભો થયો છે.જો ત્યાં આશ્રય ન મળે તો તેમણે કોઈ ત્રીજા જ દેશ તરફ નજર દોડાવવી પડશે.નોંધનીય છે કે ભારતે પણ તેમને કામચલાઉ આશ્રય આપ્યો છે