Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સાળંગપુર હનુમાન મંદિર ભીંતચિત્ર વિવાદ: ૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ

Thu, August 31 2023

હનુમાનજીને દાસ તરીકે દર્શાવાતા મામલો ગરમાયો
સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિત હનુમાન ભક્તોનો રોષ ફાટી નીકળ્યો

બોટાદ જિલ્લામાં આવેલુ સાળંગપુર હનુમાન મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટુ કેન્દ્ર છે. અહીં પુરા ભારતભરમાંથી લોકો હનુમાન દાદાના દર્શને આવે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સારંગપુર મંદિર ખાતે બનાવેલ હનુમાન દાદાની મૂર્તિની નીચેના ભીંતચિંતોને લઈ વિવાદ સર્જાયો છે. આ ભીંતચિંતોમાં હનુમાનજી સ્વામિનારાયણના સાધુને હાથ જોડતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે જેના કારણે સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિત હનુમાન ભક્તોનો રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયા પર વિરોધ દર્શાવામાં આવ્યો છે

કેટલાક હિન્દુ સંગઠનોની આ મામલે બેઠક પણ મળી શકે છે, અને આ મામલે વધુ વિરોધ પ્રદર્શનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે કેટલાક સંગઠને સારંગપુર સંસ્થાને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

આ ભીંતચિત્રોમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

કેમ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો?

આ ભીંતચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાધુ સંતો સહિત હનુમાન ભક્તો એકસૂરમાં વિરોધ કરી કહી રહ્યા છે કે, ‘આ ચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામિના દાસ બતાવવમાં આવ્યા છે. હનુમાનજી રામ ભક્ત હતા, તે કોઈ સ્વામિનારાયણ ભગવાનના દાસ નથી. આ હનુમાન દાદાનું અપમાન છે, અને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જાણી જોઈ આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.’

વિવાદ બાદ સારંગપુર મંદિર સંસ્થાએ શું કર્યું?

સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભીંતચિંત્રોના વિવાદ બાદ મંદિર સંસ્થાને હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા નીચે ભીંતચિંત્રો હતા ત્યાં પીળા કલરનું કપડું મુકી તે ભીંતચિંતો ઢાંકી દીધા છે, અને વિવાદને ઠંડો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

કચ્છ ભચાઉ નજીક આવેલ કબરાઉ મોગલધામના મણિધર બાપુ એ કહ્યું, ‘તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી,

રામેશ્વર બાપુ એ પણ સારંગપુર વિવાદ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, સારંગપુર મંદિર સંસ્થાએ જડતાની સાથે હનુમાનજીને એક સામાન્ય વ્યક્તિની જેમ દર્શાવ્યા છે. આ કૃત્ય જેણે કર્યુ છે, તે જડત્વના માર્ગ પર ચાલી રહ્યાં છે.

અમદાવાદમાં લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુ એ ચીમકી આપી કહ્યું છે કે, ‘સાળંગપુર સંસ્થા દ્વારા હનુમાનજીની પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ઈન્દ્રભારતી બાપુએ પણ સારંગપુર વિવાદ મામલે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કહ્યું, આ સનાતન ધર્મનું અપમાન છે, હનુમાન દાદા ચિરંજીવી છે,

જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુ એ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી તેવું આ કૃત્ય છે.

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે, ‘કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ.

મહંત હરી આનંદ બાપુ એ પણ રોષ વ્યક્ત કરી નિવેદન આપ્યું કે, હનુમાનજીને સેવક તરીકે બતાવવા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે.

મોરારીબાપુ એ પણ વિવાદ બાદ વિરોધ કરતા કહ્યું કે, ‘મે પહેલા પણ આ પ્રકારની હરકતો માટે અવાજ ઉઠાવ્યો છે’. મોરારીબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે, હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો.’

શિહોરમાં ફરિયાદ માટે અરજી

સારંગપુર મંદિર વિવાદ બાદ સનાતન ધર્મ સંવા સમિતી દ્વારા ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી છે. સનાતન ધર્મ સમિતીએ અરજી સાથે કેટલાક દસ્તાવેજી પુરાવા રજૂ સારંગપુર સ્વામિનારાયણ સંસ્થાના સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે, સારંગપુર હનુમાન મંદિર વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન અંતર્ગત આવેલું છે. આ મામલો વધુ ગરમાતા વડતાલ સ્વામિનારાયણ ટ્રસ્ટની મિટિંગ મળવાની હતી, પણ તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. તો હવે ટુંક સમયમાં મીટિંગ થશે, અને આ વિવાદને કેવી રીતે શાંત કરવો તે મામલે સ્વામિનારાયણ સંતો ચર્ચા વિચારણા કરી આગળની કાર્યવાહી કરશે.

Share Article

Other Articles

Previous

ચંદ્રની ધરતી પર રોવરની ખેલકૂદ

Next

ભારતીય નૌકાદળનું યુધ્ધ જહાજ મહેન્દ્રગીરી આજે સમુદ્રમાં ઊતરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
12 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
13 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
13 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
13 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

ટ્રમ્પ અને મસ્ક સામે અમેરિકામાં શું થયું ? કોણ ગયા કોર્ટમાં ? વાંચો
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
આ મહિલા પાસે છે દુનિયામાં સૌથી મોટા નખ…લંબાઈ જાણતા જ તમને લાગશે ઝટકો !!
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
હેપ્પી ન્યુયર… ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા કરાયું વર્ષ 2025નું સ્વાગત : આતશબાજી સાથે ભવ્ય ઉજવણી શરૂ
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
ટૉપ ન્યૂઝ
3 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર