રાજકોટ જિલ્લાકક્ષાના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે જવાહર નવોદય વિદ્યાલય ખાતે રિહર્સલ : કલેકટરે કર્યું નિરીક્ષણ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે. જેના સંદર્ભે કલેક્ટર ડો. ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.

રાષ્ટ્રધ્વજ વંદન અને પ્લાટુન નિરીક્ષણ કરાયું
આ રિહર્સલ દરમિયાન રાષ્ટ્રધ્વજ વંદન અને પ્લાટુન નિરીક્ષણ કરાયું હતું. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓએ કાર્યક્રમનું સંચાલન, બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, મેદાનનું નિરીક્ષણ, વૃક્ષારોપણની જગ્યા સહિત તૈયારીઓ ચકાસીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમ, પ્રાંત અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિતભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરા સહિત અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં કેન્દ્રીય જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જેના અનુસંધાને કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો : પાટીદાર સમાજના દરેક દંપતિ ઓછામાં ઓછા 3-4 સંતાન પેદા કરે : આર.પી.પટેલની વાતને સમાજના અન્ય આગેવાનોએ આપ્યો મિશ્ર પ્રત્યાઘાત
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ આનુષંગિક વ્યવસ્થાઓ અંગે સંબંધિત કચેરીઓના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે કાર્યક્રમનું શિડ્યુલ, સંચાલન, સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનો, વ્યક્તિ વિશેષ અને કર્મયોગીઓનું સન્માન, આમંત્રણ પત્રિકા, સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કૃતિઓ, વીજ પુરવઠો, વ્હીકલ પાર્કિંગ, વૃક્ષારોપણ, પ્લાટુન, પ્રાથમિક સારવારની સુવિધાઓ સહિતના મુદ્દાઓ વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત, તેમણે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરવા તેમજ પોલીસ વિભાગના સાયબર અવેરનેસ, વન વિભાગના રોપા વિતરણ, સંકલિત બાળ વિકાસ યોજના અને આરોગ્ય કચેરીના સ્ટોલ બાબતે સૂચના આપી હતી.
