રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં RBA પેનલનો વિજય: વકીલોએ સુમિત વોરાને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા
રાજકોટ બાર એસોસિએશન વર્ષ 2024-25ના ટર્મ માટેના રસાકસીભર્યા ચૂંટણી જંગનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં RBA પેનલનો દબદબો રહ્યો છે, જેમાં વકીલોએ સુમિત વોરાને પ્રમુખ તરીકે ચૂંટીને તેમના નેતૃત્વ પર મહોર મારી છે. જોકે, ઉપપ્રમુખ પદે સમરસ પેનલના ઉમેદવારે જીત મેળવી રસાકસી જાળવી રાખી હતી.
આ ચૂંટણી કુલ 4,349 નોંધાયેલા મતદારો હતા. જેમાંથી 2,715 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બપોર પછી મતગણતરી શરૂ થતા જ સમરસ પેનલના સમર્થકમાં નિરાશાના વાદળો છવાઈ ગયા પ્રથમ રાઉન્ડથી આરબીએ પેનલના તમામ ઉમેદવારો આગળ રહ્યા હતા પણ આશરે મતગણતરીની 2 કલાક બાદ ઉપપ્રમખુ પદે સમરસના સિધ્ધરાજિંસહ જાડેજાએ બિમલ જાનીને લીડ આપવાનું શરૂ કર્યું હતું જો કે 4-5 રાઉન્ડ સુધી 30-40 મતનો ગાળો હતો જે ધીમે ધીમે વધતો ગયો અને આખરે હોદેદારોની એક જગ્યામાં સમરસ પેનલ બાજી મારી હતી.
ચુંટણીનું રીઝલ્ટ જાહરે થતાં જ કોર્ટે પરિસરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને વકીલો વિજેતા ઉમેદવારોને હાર પહેરાવી અને ફટાકડા ફોડી ઉજવણી કરતા નજરે પડ્યા હતા.
`RBA પેનલ’ને જીતાડવામાં દિલીપ પટેલ કિંગ મેકર સાબિત થયા
ચૂંટણી જાહેર થતાની સાથે જ બંને પક્ષો વચ્ચે રાજકીય દાવપેંચ તેજ બન્યા હતા. ચૂંટણી પહેલા સેક્રેટરી પદેથી સંદીપ વેકરીયાનું અચાનક રાજીનામું અને ત્યારબાદ નેશનલ લીગલ સેમિનારમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ વકીલ આલમમાં ભારે ગરમાવો લાવી દીધો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે, ચૂંટણીના માત્ર ચાર દિવસ પૂર્વે જ રાજકોટ બારે તમામ હિસાબો રજૂ કરી આક્ષેપોનું ખંડન કર્યું હતું. અંતિમ તબક્કે, જ્ઞાતિના સમીકરણો અને બારના વિકાસના રોડ મેપ જેવી ઝીણવટભરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી દિલીપ પટેલના માર્ગદર્શન હેઠળ ‘છઇઅ પેનલ’ દ્વારા કરવામાં આવેલો સચોટ પ્રચાર રંગ લાવ્યો હતો. પરિણામે, વિરોધના વંટોળ વચ્ચે પણ દિલીપ પટેલ િંકગ મેકર સાબિત થયા અને પેનલને ભવ્ય જીત અપાવી.
આ પણ વાંચો :ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા : 73.73 લાખ નામ રદ, રાજકોટમાં 5.61 લાખ મતદાર ઉપર લટકતી તલવાર
ભાજપના નામે પ્રચાર કરવા છતાં `સમરસ પેનલ’નો પરાજય
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે બંને પેનલમાં ભાજપની વિચારધારા ધરાવતા વકીલો જ મેદાને હતા, જેથી ટેકનિકલી બંને પેનલ ભાજપ સમર્થિત જ ગણાય. તેમ છતાં, ‘સમરસ પેનલ’ દ્વારા ખાસ ભાજપના નામનો સહારો લઈને પ્રચાર કરવામાં આવ્યો હતો. જોકે, મતદાર વકીલોએ પક્ષના નામને બદલે ઉમેદવારોની વ્યક્તિગત વિશ્વસનીયતા અને તેમના કામને પ્રાધાન્ય આપીને બારની બાગડોર સોંપી છે.
