રાજકોટનાં ચર્ચાસ્પદ નેશનલ શ્રોફ પેઢીને “પછડાટ”: 10 વર્ષ બાદ ફરી ઇન્કમટેક્સ “ચોપડા”ખોલશે
ભારે ચર્ચામાં રહેલી રાજકોટની નેશનલ શ્રોફ પેઢીનાં એક દાયકા બાદ ફરીથી “ચોપડા”ખુલશે અને જેનો રેલો આ પેઢી સાથે સંકળાયેલા અનેક વેપારીઓ અને આંગડિયા પેઢી સુધી પહોંચશે તેવો ઐતિહાસિક અને ખળભળાટ મચાવી દે તેવો ચુકાદો ઇન્કમટેક્સ ટ્રીબ્યુનલએ આપ્યો છે.
સમગ્ર કેસની મળેલી વિગતો મુજબ,રાજકોટની નેશનલ શ્રોફ એન્ડ કંપની કામે ચાલી રહેલા કેસમાં ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા ચુકાદાએ સૌને ચોંકાવી દીધા છે.જેમાં 10 વર્ષ પૂર્વે વર્ષ 2007-2015 દરમિયાન આ કંપની દ્વારા તેના એકાઉન્ટમાં કરોડો રૂપિયાની રોકડ જમા થઈ હતી. જેમાં આશરે 191 કરોડની કેશ ડિપોઝીટ થઈ હતી. મોટાભાગના વ્યવહારો અલગ અલગ પેઢીઓ જેવી કે આંગડિયા અને બુલિયન પેઢીઓનાં આ કાળા નાણાં હોવાનું અને વીજળીવેગે આ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.જેને કારણે આ કરોડોનું ટ્રાન્જેક્શન શંકા ના દાયરામાં આવ્યું હતું
જ્યારે અપીલમાં આ કેસમાં ચાલ્યો ત્યારે કરદાતા તરફથી માત્ર કમિશન પર આધારિત ટ્રાન્જેક્શન થયું હતું એવો દાવો કરવામાં આવ્યો હતો જેને ઇન્કમટેક્સ ટ્રીબ્યુનલએ આ દલીલને નકારી કાઢી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે,આ કેસમાં કમાણી કરનાર કોણ છે એ જ સ્પષ્ટ નથી ફક્ત કમિશન મળ્યું હોય એવું માની લેવાય તો એનાથી ટેક્સ ચોરીને કાનૂની છૂટ મળે એમ બની શકે નહીં….
જો કે હવે રી-એસેસમેન્ટની તક મળી છે પરંતુ હજુ આ બાબતે આખરી પરિણામ શું આવશે એ તો હજુ સમય કહેશે પણ આ કેસ ફરીથી રી ઓપન થતાં હજારો ફાઇલોનાં પાનાઓ આવકવેરા ખાતું ઉલટાવસશે.
ચુકાદા બાદ હવે તપાસનો છૂટો દોર
આ કેસમાં ચુકાદો સૌથી નોંધપાત્ર એટલા માટે રહ્યો છે કે ઇન્કમટેક્સ ટ્રીબ્યુનલએ આખો કેસ ફરીથી ખોલવા માટે ઇન્કમટેક્સ વિભાગએ છૂટો દોર આપી દીધો છે, આથી આઇટીની ટીમ પણ હવે આ કેસનાં ઊંડા મૂળ સુધી જશે અને પહેલા કરતાં તપાસને વધુ ઘનિષ્ઠ બનાવશે.
આ પેઢી સાથે સંકળાયેલા વેપારીઓની ઊંઘ થશે હરામ..!!
અત્યારે સુધીમાં નેશનલ શ્રોફ પેઢી મારફત વર્ષો પહેલા જે વેપારીઓએ વહેવારો કર્યા હતા તેમના હિસાબો પણ આવકવેરા ખોલશે.જો કે ઘણાને નોટિસો મોકલવાની શરૂ પણ થઈ હોવાની માહિતીઓ મળી છે.કેટલાક વિવાદિત રહી ચૂકેલા કેસમાં ફરીથી સઘન પૂછપરછ શરૂ થશે.