- એટીસી અને ટેકનિકલ બ્લોકનું બાંધકામ લાંબા સમયથી થઈ ગયું હતું:ડી.જી.સી.એ.એ આપી પરવાનગી:ટેક્નિકલ કામગીરી બાદ સ્થળાંતર
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એટીસી ટાવર અને ટેકનિકલ બ્લોક માટે ડી.જી.સી.એ.ની મંજૂરી મળી જતા ટૂંક સમયમાં નવા ટાવરમાં શિફ્ટટિંગ થવાના એંધાણ વરતાઈ રહ્યા છે. ડીજીસીએ ડાયરેક્ટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને બીસીએસ બ્યુરો સિવિલ સિક્યુરિટી દ્વારા નવા ટાવરને પરમિશન મળી ગઈ છે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી.
આ મંજૂરી ની સાથે સાથે નવી મૂંઝવણ પણ ઊભી થઈ હોવાનું એરપોર્ટના સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં એક અધિકારીએ પરમિશન આપી છે જ્યારે બીજા અધિકારી દ્વારા મંજૂરીને હોલ્ડ પર રાખવામાં આવી હોવાની ચર્ચા છે. ટેકનિકલ બ્લોકમાં આવેલી વિસંગતતાઓને લઈને ઓથોરિટી દ્વારા તજજ્ઞ પાસેથી અભિપ્રાયો લેવાશે.
જાણવા મળતી વિગત અનુસાર અત્યાર સુધીમાં કોઈ પણ એવા ટેકનીકલ કે એટીસી ટાવરની મંજૂરી માટે આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ નથી. માત્ર એક વડોદરાના એરપોર્ટમાં મંજૂરી માટે આવી સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે તેનો ઉકેલ જલ્દીથી આવી ગયો હતો આથી અધિકારીઓ વડોદરાના આ રિપોર્ટના આધારે આગળનું આયોજન કરશે.
હિરાસર એરપોર્ટમાં લાંબા સમયથી એટીસી ટાવર અને ટેકનિકલ બ્લોક નું કામ પૂરું થઈ ગયું છે માત્ર ડી જી સી એની મંજૂરી માટે રાહ જોવાઇ રહી હતી અગાઉ પણ નવા બ્લોક અને બિલ્ડીંગમાં સત્યનારાયણ ભગવાનની કથા પૂજાનો ધાર્મિક કાર્યક્રમ યોજાઈ ગયો હતો.
આખરે નવા ટાવર માટે મંજૂરી આવી પરંતુ તેમાં અવઢવ આવી હોવાથી હજુ ટેકનિકલ ટીમ અહીં સ્થળાંતર નહીં કરી શકે, તજજ્ઞ પાસેથી જાણકારી લઈ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ડી.જી.સી.એ.ના એક અધિકારીની ‘હા’ તો બીજા ‘ના’
બે દિવસ પહેલા નવા એટીસી ટાવર માટે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ની મંજૂરી મળ્યાના લેટરમાં એક અધિકારીએ મંજૂરી ને હા તો બીજાએ ના આપી હોવાથી અનેક મૂંઝવણ ઊભી થઈ છે. કઈ રીતે મંજૂરીને માન્ય ગણું કે પછી જે પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો છે તેમાં કેવી રીતે ઉકેલ લાવવો તે વાતને લઈને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પણ મૂંઝાયા છે.