રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઇ સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભા : રૂપાણી પરિવારના દુ:ખમાં સહભાગી થયા સંત-મહંત-રાજકીય આગેવાનો
સ્વ.વિજયભાઈ રૂપાણીના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છે ત્યારે આજે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાથનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજયભાઈ રૂપાણીના પરિજનો, ભાજપના નેતાઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે પણ સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને અશ્રુભીની આંખે રાજકોટના પનોતા પુત્રને વિદાય આપી હતી ત્યારે આજે યોજવામાં આવેલી પ્રાથનાસભામાં પણ લોકો ઉમટ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

અનેક રાજકીય આગેવાનોએ વિજયભાઈને પુષ્પાંજલિ કરી અર્પણ

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 લોકોના મૃત્યુ થયા હતા જેમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેમના અંતિમ સંસ્કાર વિધિવિધાન સાથે ગઇકાલે(16 જૂન 2025)ના રોજ કરવામાં આવ્યા હતા ત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રાથનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક રાજકીય આગેવાનોએ વિજયભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ ઈશુદાન ગઢવી,જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા,
રાજકોટ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત

વિજયભાઈ રૂપાણીની પ્રાથનાસભામાં રાજકોટ ભાજપના હોદ્દેદારો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંસદ રામભાઈ મોકરિયા, રમેશભાઈ ટીલાળા, રમેશભાઈ રૂપાપરા, મનિષભાઈ રાડીયા, લાખાભાઈ સાગઠીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, હિરેન ગોસાઈ, નયનાબેન પેડડીયા તેમજ મહિલા અગ્રણીઓ તથા રાજુભાઈ ધ્રુવ, કમલેશભાઈ મીરાણી, માધવ દવે, મુકેશ દોશી, મયુર શાહનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વિજયભાઈ કહેતાં કે, તમે ઋષભનાં USનાં માતા-પિતા છો : 10 વર્ષ જૂના મિત્ર રાજકોટ અંતિમદર્શન માટે આવ્યાં
વિવિધ ધર્મ ગુરુઓની પ્રાથનાસભામાં હાજરી
સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાથનાસભામાં વિવિધ ધર્મ ગુરુઓ હાજર રહ્યા હતા. જૈનમુનિ નમ્રમુનિ મ.સા. વિજયભાઈનું નિધન થતાં તેમના નિવાસસ્થાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ આજે પણ તેઓ પ્રાથનાસભામાં પહોંચ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિજયભાઈ એક એવા વ્યક્તિ હતા જેમણે સૌના દિલ પર રાજ કર્યું હતું. જ્યારે સીએમ તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે તેમનો ખૂબ ઉત્સાહ વધાર્યો હતો, વિજયભાઈ સૌના દિલ જીતીને તેમજ આજે તેઓ મૃત્યુને પણ જીતી ગયા છે.

રેસકોર્સ મેદાનમાં યોજાયેલી પ્રાર્થના સભામાં રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો, બિલ્ડરો, વેપારી અગ્રણીઓ, શિક્ષણ જગતના આગેવાનો, અખબારના માલિકો, તંત્રીઓ, પોલીસ અધિકારીઓ સહિતના વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સ્વ. વિજયભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રાર્થના સભામાં હજારો લોકો શ્રદ્ધાંજલિ અર્પવા ઉમટી પડ્યા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના લોકપ્રિય નેતા વિજયભાઈ રૂપાણીના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન બાદ રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે મંગળવારે બપોરે 3થી સાંજે 6 દરમિયાન યોજાયેલી પ્રાર્થના સભામાં હજારો લોકો શ્રદ્ધાંજલિ અર્પવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે રાજકીય આગેવાનો, કલાકારો, ધાર્મિક ગુરુઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓએ એકત્ર થઈને વિજયભાઈના ગુજરાતના વિકાસ અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું.
વિવિધ રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત

રાજકીય આગેવાનોમાં વજુભાઈ વાળા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જીતુ વાઘાણી, પરષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરીયા, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, રીવાબા જાડેજા, ભરત બોઘરા, ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ પણ હાજરી આપી અને વિજયભાઈના રાજ્યના વિકાસમાં આપેલા ફાળાને બિરદાવ્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો, બોહરા સમાજ, મુસ્લિમ સમાજ, ખ્રિસ્તી સમાજ અને શીખ સમાજના આગેવાનોએ પણ વિજયભાઈના સામાજિક સમરસતા માટેના પ્રયાસોને યાદ કર્યા. પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણ અને ધીરુભાઈ સરવૈયા જેવા કલાકારોએ પણ ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રાર્થના સભામાં હાજર રહેલા લોકોએ વિજયભાઈના નમ્ર અને સમર્પિત વ્યક્તિત્વને યાદ કરીને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.