Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

“કાવ્યો, વ્યંગ અને નાટકો લોકશાહીનો અનિવાર્ય હિસ્સો છે: સર્વોચ્ચ અદાલત

Fri, March 28 2025

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે જામનગર પોલીસે નોંધેલી ‘ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાની ‘ ફરિયાદ શુક્રવારે સર્વોચ્ચ અદાલતે રદ કરી હતી અને વાણી સ્વાતંત્ર્યના અધિકારના રક્ષણ ઉપર ભાર મૂકી, નાટકો, વ્યંગ,કાવ્યો વગેરે સમાજનો આવશ્યક હિસ્સો હોવાનું જણાવ્યું હતું.નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એ સમયે આવ્યો છે જ્યારે કોમેડિયન કુણાલ કામરા સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી છે.સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ગુજરાત પોલીસની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
વિગત એવી છે કે ડિસેમ્બર 2024 માં જામનગર ખાતે કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સમૂહ શાદી કાર્યક્રમમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેના બેકગ્રાઉન્ડમાં એક કાવ્યના “એ ખૂન કે પ્યાસો… રબ કી કસમ લાશેં દફના દેંગે” જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો.
આ શાયરી સમાજમાં વૈમનસ્ય ફેલાવી શકે છે તેવી ફરિયાદ જામનગરના એડવોકેટના એક ક્લાર્કએ કરી હતી અને પોલીસે વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઇમરાન પ્રતાપગઢીએ એ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે એ અરજી નકાર્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
તેનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કવિતા કોઈ ધર્મ વિરુદ્ધ નથી, બલ્કે તેમાં અહિંસાની વાત કરવામાં આવી છે, અને વાણી સ્વાતંત્ર્ય સમાજનો આવશ્યક ભાગ છે.અદાલતે આવી ફરિયાદ નોંધવા બદલ ગુજરાત પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી અને ગુજરાત પોલીસ કવિતાને સમજી ન શકી હોવાની તથા ફરિયાદ નોંધવામા મગજનો ઉપયોગ ન કર્યો હોવાની ટિપ્પણી કરી હતી.પોલીસે આ મામલે ફરિયાદ નોંધવામાં ઉતાવળ કરી અતિ અસંવેદનશીલ અભિગમ અપનાવ્યો હોવાનું અને વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારની યોગ્ય રીતે સમજણ દર્શાવી ન હોવાનું અદાલતે જણાવ્યું હતું.આ ઉપરાંત, કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો કે નાગરિકોના અભિવ્યક્તિના અધિકારને દબાવવા માટે રાજ્યની સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે કાવ્યો, નાટકો અને વ્યંગ માટે ?

સુપ્રીમ કોર્ટે વાણી સ્વાતંત્ર્યના મહત્વ પર ભાર મૂકતાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે કાવ્યો, નાટકો, વ્યંગ અને સર્જનાત્મક અભિવ્યક્તિના અન્ય સ્વરૂપો લોકશાહીનો આવશ્યક હિસ્સો છે અને તે સ્વીકાર્ય હોવા જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ વાતને વિસ્તારીને સમજાવી હતી કે આવા સર્જનાત્મક માધ્યમો સમાજમાં વિચારોનું આદાન-પ્રદાન કરવા, પ્રશ્નો ઉઠાવવા અને સામાજિક સંવાદને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે. કોર્ટે નોંધ્યું હતું કે લોકશાહીમાં વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મૂળભૂત સ્તંભો છે. કાવ્યો અને વ્યંગ જેવા સાહિત્યિક સ્વરૂપો ઘણીવાર પ્રતીકાત્મક હોય છે અને તેમનો હેતુ સમાજને આયનો બતાવવાનો કે વિચાર પ્રક્રિયાને ઉત્તેજન આપવાનો હોય છે, નહીં કે ઝઘડા કે વૈમનસ્ય ફેલાવવાનો. આ ઉપરાંત, કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે લોકશાહીમાં સર્જનાત્મક અભિવ્યક્તિને નિયંત્રિત કરવાને બદલે તેને સમજવાની અને સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ, સિવાય કે તેમાં સ્પષ્ટ રીતે હિંસા ભડકાવવાનો કે કાયદો અને વ્યવસ્થાને ખોરવનારો ઇરાદો દેખાતો હોય. સર્વોચ્ચ અદાલતે ભારતીય બંધારણના અનુચ્છેદ 19(1)(એ)નો ઉલ્લેખ કર્યો, જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની બાંયધરી આપે છે, અને કહ્યું કે આ અધિકારનું રક્ષણ કરવું એ રાજ્ય અને ન્યાયતંત્રની જવાબદારી છે.

Share Article

Other Articles

Previous

એસ્મા ! રાજકોટ જિલ્લાના 219 આરોગ્ય કર્મચારીઓને છુટા કરવા આદેશ

Next

મ્યાનમાર અને થાઈલેન્ડને મદદ માટે ભારત તૈયાર : મોદીએ સહાનુભૂતિ વ્યક્ત કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અંજારમાં મહિલા ASIની હત્યા થતા પોલીસબેડામાં ખળભળાટ : ઉગ્ર ઝઘડો થતા CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ જ ઢીમ ઢાળી દીધું
7 કલાક પહેલા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
7 કલાક પહેલા
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક : મહિલા વકીલ સામે આ મામલે નોંધાયો ગુનો
8 કલાક પહેલા
રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
8 કલાક પહેલા
Categories

નેશનલ

2268 Posts

Related Posts

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં શું કૌભાંડો થયા ? શું આવ્યો અહેવાલ ? વાંચો
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
નાના રોકાણકારો માટે શું સુવિધા આવશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતા સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
અટલ સરોવર પાસે થયેલી લૂંટને અંજામ ત્યાં જ કામ કરતાં મજૂરોએ આપ્યાની આશંકા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર