ક્રેશ થયેલાં પ્લેનનાં પાર્ટ્સની તપાસ અમદાવાદમાં જ થશે: રિસ્ટ્રક્ચર-ઇન્વેસ્ટિગેશનની કામગીરી બાદ Air Indiaને સોંપાશે
અમદાવાદમાં 12 જુનએ પ્લેન ક્રેશની ઘટના બાદ હવે આ પ્લેનના વિવિધ પાર્ટસની તપાસ અમદાવાદમાં જ કરવામાં આવશે.જેના માટે પોલીસ એસ્કોર્ટ સાથે એરપોર્ટનાં ગુજસેલ ખાતે લઈ જવામાં આવશે.

એરપોર્ટનાં સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદ મેઘાણીનગરમાં જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું એ જગ્યાથી હવે પ્લેનનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે.હવે આ પાર્ટ્સ સાચવવા માટે અલગ જગ્યા નક્કી કરવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ ગુજસેલ એરપોર્ટ પાસે એક જગ્યા ભાડે રાખવામાં આવી છે.મેઘાણીનગરથી અલગ અલગ વાહનમાં પ્લેનના પાર્ટ્સને પોલીસ એસ્કોર્ટ સાથે લઇ જઇને ગોઠવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : લોકોને મનોરંજન મળી શકે તે રીતે મેળો યોજાશે : રાજકોટ કલેકટર ડૉ. ઓમપ્રકાશનું નિવેદન

ત્યાર બાદ પ્લેનના રિસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી પણ અહીં થશે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્લેનનાં બચી ગયેલા કાટમાળને અને નાનામાં નાના જે પણ ભાગ વધ્યા છે એ તમામને લઈ જવામાં આવશે.જ્યાં અલગ અલગ એજન્સીઓ અને તપાસ ટીમ પહોંચશે. ખાસ કરીને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ કાટમાળ અહીં રાખવામાં આવશે ત્યારબાદ એર ઇન્ડિયાને સોંપી દેવામાં આવશે.