હવે તમે ડાયટ પ્લાન ફ્રીમાં કરી શકશો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયેટિશિયન OPD શરૂ
રોજિંદા ખાનપાન પાનને કારણે આજના સમયમાં ડાયાબિટીઝ, અસ્થમા, મેદસ્વીતા, હૃદયરોગ, બ્લડપ્રેસર, પાચનતંત્ર અને લીવરને લગતા અનેક રોગથી લોકો પીડાઈ રહ્યા છે, ખાસ કરીને આવા દર્દમાં ડાયટ પ્લાન આવશ્યક હોવાથી શહેર-જિલ્લાના દર્દીઓ ખાનગી સ્થળોએ હજારો રૂપિયાની ફી ચૂકવી ડાયટ પ્લાનની સેવા લેતા હોય છે તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ડાયટીશીયન ઓપીડી શરૂ કરવામાં આવી છે જેમાં સોમથી શનિ દરમિયાન દરરોજ ત્રણ તજજ્ઞ ડાયટીશીયન લોકોને નિઃશુલ્ક સેવા આપશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ હ્નદયરોગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ યુ.એન.મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું સેટેલાઇટ યુનિટ કાર્યરત થનાર છે ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે ડાયટીશીયન ઓપીડી શરૂ કરી છે.
આ પણ વાંચો : લોકોને મનોરંજન મળી શકે તે રીતે મેળો યોજાશે : રાજકોટ કલેકટર ડૉ. ઓમપ્રકાશનું નિવેદન

જેમાં રૂમ નંબર -16માં સોમવારથી શનિવાર દરમિયાન સવારે 9થી બપોરના 12.30 દરમિયાન ડાયટીશીયન અંકિતા રાવલ,મયુરી ઝંઝવાડિયા અને યસ્વીબેન પુર્ણવૈરાગી દ્વારા દર્દીઓને ડાયટ પ્લાન અંગેની સેવા આપવામાં આવશે જેથી ડાયાબિટીઝ, અસ્થમા, મેદસ્વીતા, હૃદયરોગ, બ્લડપ્રેસર, પાચનતંત્ર અને લીવરને લગતા દર્દીઓએ આ ઓપીડીનો લાભ લેવા અનુરોધ કરાયો છે.