નોટબૂક, ટેક્સબૂક, યુનિફોર્મ ગમે ત્યાંથી ખરીદી શકશે : રાજકોટના શાળા સંચાલકોએ કરી સ્પષ્ટતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ અશ્વઅત્રિ નોટબુકસ, પાઠયપુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી, જ્યાંથી તેમને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો વાલીઓને માહિતી આપવાનો ઉદ્દેશ્ય શાળાના તમામ વિધાર્થીઓમાં યુનિફોર્મમાં સાતત્ય જળવાઈ રહે, ખાસ કરીને યુનિફોર્મના કપડામાં, ડિઝાઈનમાં અને યુનિફોર્મના સિલાઈમાં સમાનતા રહે તે માટે આગ્રહ રાખવામાં આવતો હોય છે. સાથે દરેક શાળા જુદા જુદા પબ્લિકેશન્સની બુક અભ્યાસક્રમમાં ચલાવતી હોય છે ત્યારે વાલીઓને જુદી જુદી જગ્યાએ ધક્કા ન ખાવા પડે તે ઉદેશ્યથી શાળાઓ દ્વારા વાલીઓને માહિતી આપવામાં આવતી હોય છે. આ કારણસર સ્વનિર્ભર માહિતી આપવામાં આવે છે સાળવિશ્વ તરીકે નહિ તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ તમામ વાલીઓને જાણ કરે છે.

વાલીઓ ઈ કોમર્સનો પણ ઉપયોગ કરી અને ઓનલાઈન પણ જરૂર વસ્તુઓ ખરીદી શકે છે. તમામ શાળાઓનો ઉદ્દેશ્ય વાલીઓની સગવડતા અને તેમના સમયની બચત સાથે શાળામાં સાતત્ય જળવાય રહે તેવો જ હોય છે. એટલે આમ ફરી એક વખત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખુલાસો કરે છે કે વાલીઓએ શાળાઓ દ્વારા આપવામાં આવેલ માહિતી ને સૂચન સમજવું આદેશ નહિ.