નવસારી : ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગતાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા, જુઓ વિડીયો
નવસારી જિલ્લાના ગણદેવીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
▶️ગણદેવીના દેવસર નજીક આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
— DD News Gujarati (@DDNewsGujarati) November 9, 2024
▶️આગને કારણે ગોડાઉનમાં કામ કરતાં લોકો ફસાયા, બે લોકોના મોત થયા હોવાની આશંકા
▶️બીલીમોરા ગણદેવી નવસારી ચીખલી સહિતના ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા, બીલીમોરા પોલીસ ઘટના સ્થળે પહોંચી pic.twitter.com/7TWsVBoL5O
મળતી માહિતી મુજબ, ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીનાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તેણે તુરંત આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ભડકો થતાંની સાથે જ ત્રણ લોકો આગની લપેટમાં આવતાં ત્યાંને ત્યાં જ જીવતા ભૂંજાઈ ગયાં છે, તેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
કેવી રીતે લાગી આગ?
પોલીસ પાસેથી મળતી માહિતી મજુબ, ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અઅચાનક આગ લાગી હતી. નીચે પણ ઘણી જગ્યાએ કેમિકલ ઢોળાયું હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. હાલ આગ પર કાબૂ મેળવી ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મૃતદેહોને બહાર કાઢી તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે વલસાડની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ચાર જગ્યાએથી બોલાવાઈ ફાયરની ટીમ
આગની ઘટના સામે આવતાં જ તુરંત ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બીલીમોર, ગણદેવી, નવસારી અને ચીખલી જેવા વિસ્તારોમાંથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે. ફાયરની ટીમ સમગ્ર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હજુ ત્રણ મજૂર ગોડાઉનમાં ફસાયા હોવાની આશંકા છે.