રાષ્ટ્રીય તથા પ્રદેશના મહાનુભાવોએ સ્વ.વિજયભાઈના કર્યા અંતિમ દર્શન : આજે બપોરે રેસકોર્સ મેદાનમાં પ્રાર્થનાસભા
સ્વ.વિજયભાઈ એવું વ્યક્તિત્વ હતા કે પક્ષ, વિપક્ષ કે તેમને ઓળખતા હરકોઈ વ્યક્તિ ગમગીન હશે. આજે તેમની અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સ્વ.વિજયભાઈની અંતિમયાત્રા માટે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ હીરાસર એરપોર્ટ પર ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પહોંચ્યા હતા. ત્યાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર હતા અને અમિતભાઈને રિસીવ કરીને સ્વ. વિજયભાઈની અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા. કેન્દ્રીય નેતા તેમજ મુખ્યમંત્રી સહિતનાએ વિજયભાઈને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. સ્વર્ગસ્થના પરિજનોને દિલાસો પાઠવ્યો હતો.
આ પણ વાંચો : Israel Iran War : ચોથે દિવસે પણ ઇઝરાયેલે ઈરાન ઉપર મોત વરસાવ્યું ! હવાઈ હુમલાથી ભારે તબાહી, જાસુસી વડાનો ખાત્મો
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મુળુભાઈ બેરા, સાંસદો રામભાઈ મોકરિયા, પરશોત્તમ રૂપાલા, પૂર્વ મંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ વજુભાઈ વાળા, ધારાસભ્યો રમેશ ટીલાળા, જીતુભાઈ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, જયેશ રાદડિયા, મહેન્દ્ર પાડલિયા,ઉદય કાનગડ, રાજ્યના પૂર્વ મંત્રી પૂર્વેશ મોદી, ગોવિંદ પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, દિલીપ સંઘાણી, અન્ય અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા, પ્રદીપસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ તેમજ સ્થાનિક આગેવાનોમાં શહેર પૂર્વ પ્રમુખ મુકેશ દોશી, કમલેશ મિરાણી, કશ્યપ શુક્લ, વર્તમાન પ્રમુખ ડો.માધવ દવે, જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, અન્ય આગેવાનો ભુપત બોદર, વિઠ્ઠલભાઈ ધડુક, મહાપાલિકાના પદાધિકારી મેયર નયનાબેન પેઢડિયા, જૈમિન ઠાકર, તમ નગરસેવકો સહિતના સ્થાનિક અગ્રણીઓ હા રહ્યા હતા. પાર્થિવદેહને અમદાવાદથી આવ્યા ત્યાંથી લઈ રામનાથપરા અંતિમગૃહ સુ પાર્થિવદેહ સાથે અંતિમયાત્રામાં વિજયભાઈ પારિવારિક એવા નીતિન ભારદ્વાજ અને ધનર ભંડેરી સાથે રહ્યા હતા.

રેસકોર્સમાં આજે બપોરે 3 થી 6 સ્વ.વિજયભાઇની પ્રાર્થનાસભા
રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. આજે રાજકોટમાં સદ્દગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પ્રાર્થનાસભા યોજાશે. રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં આજે સાંજે ૩ થી ૬ વાગ્યા સુધી શોકસભા રાખેલ છે.આજે રાજકોટ અને આવતીકાલે ગાંધીનગર ખાતે સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા યોજાશે.