નરેન્દ્ર મોદી ગુજરાતી નથી નથી નથી….કોંગ્રેસનાં ક્યા ઉમેદવારે કર્યો આવો બફાટ ??
લોકસભાની ચુટણીને લઈને હાલ તમામ ઉમેદવારો મતદારોને આકર્ષિત કરવા માટે સભા ગજવી રહ્યા છે. ગુજરાતમાં ૭મી મેના રોજ ૨૫ બેઠક પર મતદાન થવાનું છે. એક બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે અને કોંગ્રેસને ઝટકો લાગ્યો છે ત્યારે કોંગ્રેસના વધુ એક ઉમેદવારે પીએમ મોદી વિરુદ્ધ જાહેરમાં બફાટ કર્યો છે. વડાપ્રધાનમ મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપતા વિવાદ ઉભો થયો છે.
મળતી વિગતો અનુસાર આ વિવાદિત નિવેદન કોંગ્રેસના નવસારીના ઉમેદવારે નૈષધ દેસાઈએ કહ્યું છે. નૈષધ દેસાઈએ બફાટ કરીને પીએમ મોદી ગુજરાતી નથી તેમ જણાવ્યું હતું. નૈષધ દેસાઈએ નરેન્દ્ર મોદીને ગણાવ્યા બિન ગુજરાતી ગણાવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારે નરેન્દ્ર મોદી ગુજરાતી નથી એમ ત્રણવાર રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોઈ કારણ કે સંદર્ભ વગર જ નૈષધ દેસાઈએ આ નિવેદન આપતા અનેક સવાલો ઉભા કર્યા છે. નૈષધ દેસાઈએ કોઈ પણ સંદર્ભ વગર આ નિવેદન આપીને બફાટ કર્યો છે.
ધરમપુરની સભા દરમિયાન નૈષધ દેસાઈએ કોઈ પણ સંદર્ભ વગર બફાટ કરીને ત્રણ વખત કહ્યુ કે નરેન્દ્ર મોદી ગુજરતી નથી…નથી…નથી.. વધુમાં તેમને કહ્યું કે ગાંધીજી જ્યારે શહીદ થયા ત્યારે ‘હે રામ’ કહ્યું હતું, દુનિયાના મહાન રામ ભક્ત મોહનદાસ કરમચંદ ગાંધી એ ગુજરાતી, નરેન્દ્ર મોદી ગુજરાતી નથી…નથી…..નથી.’ તેવું નિવેદન કોઈ પણ કારણ વગર આપ્યું હતું.. જાહેરસભામાં નૈષધ દેસાઈએ પાયાવિહોણી વાત કરી હતી. ઉલ્લખનીય છે કે આજે ધરમપુરમાં પ્રિયંકા ગાંધીની જાહેરસભા છે ટે દરમિયાન આવું નિવેદન આપ્યું છે. ત્યારે આગામી સમયમાં નૈષધ દેસાઈના બફાટથી શું વિરોધ થશે કે કેમ ટે જોવાનું રહ્યું…