કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી : સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા
હવામાન નિષ્ણાતોએ કરેલી આગાહી પ્રમાણે જ રવિવારે રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડયો હતો. બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં તો કરા પડયા હતા તો વિરમગામમાં વીજળી પડતા એક ખેડૂતનું મોત થયું હતુ. આ માવઠાને લીધે અનેક પાકને નુકસાન થયુ છે. બીજી તરફ આ માવઠાને લીધે અનેક વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાં રાહત મળી હતી. હવામાન ખાતાએ હજુ શુક્રવાર સુધી વાતાવરણ વાદળછાયુ રહેશે તેવી આગાહી કરી છે.
આજે સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાશે
હવામાન વિભાગ દ્વારા રવિવારથી શુક્રવાર એમ આગામી 6 દિવસ રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે. રવિવારે મોટાભાગે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો પરંતુ હવે સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણ બદલાશે અને કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.ખાસ કરીને દરિયાયી જિલ્લામાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોસ્ટગાર્ડે માછીમારોને દરિયામાં ન જવા સુચના આપી છે.
પાકને નુકસાન ખેડૂતોમાં ચિંતા
કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેડૂતોની ચિંતા વધી હતી. તેમને પાક નિષ્ફળ જવાની ચિં સતાવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસા વરસાદ પડતાં બાજરીના પાક સહિત અવ પાકોને નુકસાન થયું છે. ભારે પવનના કાર બાજરીનો પાક આડો પડી જતાં ખેડૂતોને મો પ્રમાણમાં નુકસાનની આશંકા સેવાઈ રહી કમોસમી વરસાદને પગલે ખેડૂતોના અજમ ઉનાળુ તલ સહિતના પાકને મોટાપાયે નુકશા જવાની શક્યતા સેવાઇ રહી છે
અનેક જિલ્લામાં કમોસમી વરસાદ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા છ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં રવિવારે વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું. વહેલી સવારથી જ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ પડયો હતો.
અમદાવાદમાં વહેલી સવારથી કેટલીક જગ્યાએ વરસાદ પડયો હતો. જેમાં સીધું ભવન રોડ, વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઉસ્માનપુરા અને ઈન્કમટેક્સ વિસ્તારમાં ઝરમર વરસાદ પડયો હતો.
વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત
નિપજતાં સમગ્ર ગ્રામજનો તેમજ કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે. વિરમગામમાં ખેડૂત મંગાજી ઠાકોર વરસાદ આવતો હોવાના કારણે ખેતરમાં પાકને તાડપત્રીથી ઢાંકવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન આકાશમાંથી મોતના સ્વરૂપે વીજળી સીધી ખેડૂત ઉપર પડી. જેના કારણે ખેડૂતનું મોત નિપજ્યું હતું. અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે.
મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મોડી રાતે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વડનગરમાં પણ અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાયો હતો. પાલનપુરમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિ થયાની માહિતી મળી છે. જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
