જામનગર : બારીયાપીરની દરગાહનું ડીમોલેશન, બિલ્લી પગે વહીવટી તંત્રની મોડી રાત્રે કાર્યવાહી
જામનગરમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. રણજીતસાગર રોડ પર મોડી રાત્રે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બારીયાપીર દરબાહનું દબાણ કરાયું કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં આ કામગીરી થઈ શકે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમ મોડી રાત્રે સ્થળ પર પહોંચી હતી અને કામગીરી કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર આ ઘટના જામનગરના લાલપૂર રોડ નજીક તંત્ર દ્વારા મધરાત્રે કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી તેજ કરાઇ છે. આજે વહેલી સવારે રણજીતસાગર રોડ પર લગભગ ત્રણેક દાયકાથી બનેલી બારીયાપીરની દરગાહ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, વહીવટી તંત્ર, જામ્યુકો અને પોલીસ તંત્રના આ સંયુકત ઓપરેશનમાં જાહેર કરાયા મુજબ ૫ હજાર ફત્પટ જગ્યાનું દબાણ દુર કરવામાં આવ્યું છે.
શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ થાય તે માટે આ કામગીરી મધરાતે પૂર્ણ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે અને જયાં દબાણ હતું અર્થાત દરગાહ હતી ત્યાં આજે સવારે ખાલી મેદાન જોવા મળ્યું છે. બે જેસીબીની મદદથી બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું જેની આજે સવારે સુર્યેાદય સાથે લોકોને જાણ થઇ હતી.
આજે સવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીએમસી ડી.એન.ઝાલા, એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા, નિતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતનો સ્ટાફ પણ આ ઓપરેશનમાં જોડાયો હતો, જાણવા મળતી માહિતી મુજબ રેવન્યુ સર્વે નં.૮૬૦ તથા રેવન્યુ સર્વે નં.૯૨૮ વચ્ચેનો આ રસ્તો ગાડા માર્ગ હતો અને આ રસ્તા ઉપર દરગાહ બનાવી લેવામાં આવી હતી.