અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન શરૂ થઈ છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદથી એક્તા નગર વચ્ચે દોડનારી આ ટ્રેનમુસાફરોને અલગ જ મુસાફરીનો અહેસાસ કરાવશે.
દાર્જિલિંગ, નિલગીરી, કાલ્કા શિમલા અને માથેરાન જેવા હિલસ્ટેશનો પર તમે હેરિટેજ ટ્રેનની મુસાફરી કરી હશે. પણ હવે તમે ગુજરાતમાં પણહેરિટેજ ટ્રેનમાં મુસાફરી કરી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરથી દેશની પહેલી હેરિટેજ ટ્રેનનેલીલી ઝંડી દેખાડી હતી. આ ટ્રેનમાં ભારતના વારસા અને આધુનિક સુવિધાઓનો સંગમછે. ટ્રેનના એન્જિનને સ્ટીમ એન્જિન જેવો દેખાવ અપાયો છે. જો કે ટ્રેનઈલેક્ટ્રીસિટીથી ચાલે છે. ટ્રેનની બહારનો દેખાવ પણ સફારી વાહન જેવો છે.હેરિટેજ લૂક સાથેની આ ટ્રેન અંદરથી શાહી સુવિધાઓથી સજ્જ છે. ટ્રેનનીઅંદરનું ઈન્ટિરિયર રજવાડી લૂક સાથે તૈયાર કરાયુ છે. ચેર કારની વિન્ડોના કાચવિસ્ટા ડોમ જેવા છે, જેમાંથી ટ્રેનના રૂટ પરના કુદરતી નજારાને આરામદાયકરીતે માણી શકાય છે.
100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી ટ્રેનમાં 4 કોચ છે, જેમાંથી 3 પેસેન્જર કોચ છે, પ્રત્યેકની બેઠક ક્ષમતા 48 મુસાફરોની છે, એટલે કેટ્રેનમાં 144 મુસાફરો મુસાફરી કરી શકશે. ટ્રેનમાં લગેજ રેક વ્યવસ્થા તેજસએક્સપ્રેસના કોચ જેવી છે. બારી બંધ કરવા માટે ખાસ પડદાં છે. અત્યાધુનિકસુવિધાઓ વચ્ચે મુસાફરોએ ટ્રેનની પહેલી યાત્રાને માણી હતી.
ટ્રેનમાં ચાનાસ્તો કરવા માટે એક અલગ એસી કોચની સુવિધા છે. આ રેસ્ટોરન્ટમાં 28 મુસાફરોની બેઠક ક્ષમતા છે. રેસ્ટોરન્ટના ડાઈનિંગ ટેબલ સાગના લાકડામાંથીબનેલા છે, ફર્નિચર અને પેઈન્ટિંગ કોચને શાહી દેખાવ આપે છે. કોચમાંબ્રાન્ડેડ ફિટિંગ સાથે એફ. આર. બી મોડ્યુલર ટોઈલેટ છે.હેરિટેજ ટ્રેન પાંચમી નવેમ્બરથી દર રવિવારે દોડશે. ટ્રેન અમદાવાદથીસવારે 6 :10 મિનિટે ઉપડશે અને 9:50 મિનિટે એટલે કે 3 કલાક 40 મિનિટમાં કેવડિયા પહોંચાડશે. એકતાનગરથી ટ્રેન રાત્રે 8:23 મિનિટેઉપડશે અને રાત્રે 12:05 મિનિટે અમદાવાદ પહોંચશે. 182 કિલોમીટરના રૂટપર બંને તરફની ટ્રેન સ્ટોપેજ વિના એટલે કે નોન સ્ટોપ દોડશે. એક તરફનીમુસાફરીનું ભાડું 885 રૂપિયા છે. ટ્રેનને મળતાં પ્રતિભાવને આધારેફ્રિકવન્સી વધારવામાં આવશે. હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક દિવસના ટૂર પરજવા માગતા લોકો માટે ટ્રેન સારો વિકલ્પ બની શકે છે