શું મોટા સમઢિયાળા ગુરુકુળમાં થાય છે બાળકનો બ્રેઈન વોશ ? પિતાએ સ્વામી પર લગાવ્યા ગંભીર આક્ષેપ
બાળકોને સંસ્કારવાન કરવામાં પ્રથમ માતા-પિતા, શિક્ષક અને ગુરુનું અમૂલ્ય યોગદાન રહેતું હોય છે. હાલ અનેક માતા-પિતા પોતાના બાળકમાં સારા સંસ્કારોનું સિંચન કરવા માટે સારું શિક્ષણ મેળવવા મેળવવા માટે ગુરુકુળમાં મોકલતા હોય છે ત્યારે ગુરુકુળમાં બાળકોને મોકલનાર માટે માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગુરુકુળમાં બાળકનું બ્રેઈન વોશ કર્યાનો માતા-પિતા દ્વારા આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ગુરુકુળના સ્વામીએ બાળક સાથે વાતચીત પણ કરી હતી જે ઓડિયો કલીપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામની છે જ્યાંનું સ્વામીનારાયણ ગુરુકુળ વિવાદમાં આવ્યું છે. સ્વામી નારાયણ ગુરુકુળમાં અનેક બાળકો અભ્યાસ કરે છે ત્યારે એક બાળકના માતાપિતાએ ગુરુકુળના સ્વામી પર ગંભીર આક્ષેપો મુક્યા છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ગીર ગઢડા તાલુકાના વડલી ગામના અશોકભાઈ શિંગાળાએ સ્વામીનારયણ ગુરુકુળમાં પુત્રને ભણવા મુક્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ બાલક ગુરુકુળમાં અભ્યાસ કરે છે. જ્યાં તે સ્વામી નારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો હતો, અને આ જ સ્વામી દ્વારા બાળકનું માઈન્ડ વોશ કરવામા આવ્યું છે તેવું માતા પિતાએ આરોપ લગાવ્યો છે.
આ સમગ્ર મામલે ગુરુકુલ કે જનાર્દન સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. જનાર્દન સ્વામીએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે મારે પરિવાર સાથે વાતચીત થઇ ગઈ છે અને સમાધાન થઈ ગયું છે.હવે જોવું રહ્યું એ રહ્યું કે મામલે નવો શું વળાંક આવી રહ્યો છે.
પિતાએ કહ્યું હતું કે સારા સંસ્કારના સિંચન માટે 3 વર્ષ સુધી ભણાવ્યો. પરંતુ આજે પરિસ્થિતિ એવી બની છે કે, કિશોર પરિવાર સાથે રહેવા નથી માગતો. કિશોર ગુરુકુળમાં જનાર્દન સ્વામીના સંપર્કમાં આવ્યો અને સ્વામીએ એવી રીતે તેનું બ્રેઇનવોશ કર્યું છે કે, બાળકે પોતાના ઘરની મોહ માયા મૂકી દીધી છે. બાળકનું જ વર્તન જ એવું બની ગયું હતું બાળક માતા પિતાનું કઈ માનતો નથી માત્ર સ્સ્વામી ની વાત સાંભળે છે આટલું જ નહીં બાળકના પરિવારજનો કહી રહ્યા છે કે વિદ્યાર્થી પાસેથી કેટલીક નોટબુક પણ હાથ લાગી છે જેમાં સ્વામીએ માતા-પિતાનો આદર નહીં કરવાના સંસ્કાર આપ્યાનો દાવો છે .
માતા-પિતા વિરુદ્ધ કેવા કૃત્યો કરવા કેમ પરાણે મનાવવા તેવું લખાણ હોવાનું પણ પરિવાજનોએ જણાવ્યું છે.સ્વામી અને બાળક વચ્ચે ની ઓડિયો કલીપ પણ સામે આવી છે જેમાં પરિવાર સામે જીદ કરવા જેવી બાબતો સ્વામી દ્વારા બાળક ને કેહવામાં આવી છે તેવા પણ પરિવાર ના આક્ષેપો છે.તેમજ જે ઓડિયો કલીપ પરથી પણ અંદાજો લગાવી શકાય છે કે બાળકને ઘરે રહેવાનું નહિ પરંતુ ગુરુકુળમાં રહેવાનું પસંદ છે. તેમજ સ્વામી તેને ફોનમાં તેમ પણ જણાવે છે કે નાં પાડે ઘરેથી આવવાની તો જમવાનું પણ છોડી દેજે. આપણે જનાર્દન સ્વામીની આ વાતચીત પરથી જાણી શકીએ છીએ કે કઈ હદ સુધી બાળકનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હશે. તો બીજી તરફ ગુરુકુલના પ્રિન્સિપાલે બ્રેનવોશની વાત નકારી કાઢી હતી.