‘INDIA’ ખુશ હુઆ : સાંજે ગુજરાતીઓ ઉજવણી કરશે
સત્યને પરાજીત કરી શકાતું નથી : શકિતસિંહ ગોહિલ
અમદાવાદ, તા. 4 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શકિતસિંહ ગોહિલે ‘ઇન્ડીયા’ ખુશ થયાનું કહ્યું હતું. તેઓએ ટવીટમાં લખ્યુ હતું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ પરાજીત કરી શકાતું નથી. રાહુલ ગાંધીજીને મળેલા ન્યાયથી ઇન્ડીયા (વિપક્ષ) ખુશ છે. આજે સાંજે પાંચ વાગ્યે રાજયના તમામ શહેરોમાં લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા ગુજરાતીઓ ખુશી મનાવશે.