સરકારી કચેરીમાં નાસ્તો મંગાવવો હોય તો સાહેબ’ની પરમીશન’ ફરજિયાત !
જાણ' બહાર નાસ્તો મંગાવી લેનારા સ્ટાફને સહાયક જીએસટી કમિશનરે ઑફિસમાં બોલાવી ખખડાવ્યા બાદ બીજા દિવસે
દાળવડા’ના પ્રોગ્રામ માટે મંગાઈ રજા' !: નિર્ણયને આવકારતાં અરજદારો
સરકારી કચેરીઓમાં સ્ટાફ કામ ઓછું અને ઈત્તર પ્રવૃત્તિ વધુ કરતો હોવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને અરજદારોની જ્યારે સંખ્યા વધુ હોય ત્યારે જ સ્ટાફ નાસ્તા સહિતના કાર્યમાં વ્યસ્ત થઈ જતો હોવાને કારણે લોકોને રઝળપાટ થઈ જતી હતી.
જો કે ઉપરી અધિકારીઓ દ્વારા આ દિશામાં કડક બનીને કામ લેવાનું શરૂ કરવામાં આવ્યું હોય તેવી રીતે અમુક અમુક કચેરીઓમાં હવે સ્ટાફે નાસ્તો મંગાવવો હોય તો
સાહેબ’ મતલબ કે મુખ્ય અધિકારીની પરમીશન' ફરજિયાત લેવી જ પડશે તેવો નિયમ અમલી બનાવી દેતા સ્ટાફમાં રોષ વ્યાપી ગયો છે સાથે સાથે અરજદારો આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અત્યારે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે જેમાં સહાયક રાજ્યવેરા કમિશનરના નામે એવો આદેશ આપવામાં આવ્યો છે કે કચેરીમાં નાસ્તો મંગાવતાં પહેલાં તેમની પરમીશન લેવી જરૂરી છે.
પત્રમાં જણાવાયું છે કે રાજ્યવેરા નિરીક્ષક (વહીવટ) મનોજભાઈ બોરીચા, સીનિયર કારકુન હર્ષદ ડી.સોલંકી તેમજ જુનિયર કારકુન ધ્રુવ દેસાઈને સ્ટેટ જીએસટી કમિશનર એ.સી.ભટ્ટ દ્વારા તેમની ઑફિસમાં રૂબરૂ બોલાવીને એવું કહેવામાં આવ્યું હતું કે કચેરીમાં કોઈ પણ પ્રકારનો નાસ્તો બહારથી મંગાવવો હશે તો તેમની પરમીશન લેવી પડશે. જો આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો સ્ટાફ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. આ નિયમ અમલી બન્યાના બીજા જ દિવસે સ્ટાફને
દાળવડા’ ખાવાની ઈચ્છા થતાં તેમણે લેખિતમાં એ.સી.ભટ્ટ પાસેથી ઑફિસમાં દાળવડા મંગાવવા માટેની પરમીશન માંગી હતી. એકંદરે અત્યારે આ પત્ર સોશ્યલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે.