બિહારમાં કેવી બની હિચકારી ઘટના ? કોની હત્યા કેવી રીતે થઈ ? જુઓ
બિહારની રાજધાની પટણામાં ગુનેગારોએ એશિયા હોસ્પિટલના મહિલા ડિરેક્ટરને ગોળી મારી હત્યા કરી નાખી હતી. બદમાશોએ હોસ્પિટલમાં ઘૂસીને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યા ગુનેગારોએ હોસ્પિટલમાં અંદર ઘૂસીને ડિરેક્ટરની ચેમ્બરમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. હતો. ડિરેક્ટરને 5 થી 6 ગોળીઓ વાગી હતી અને એમનું મૃત્યુ થયું હતું.
ગોળીબારમાં હોસ્પિટલના ડિરેક્ટર સુરભિ રાજ ગોળી વાગવાને કારણે ગંભીર રીતે ઘાયલ થઈ જતાં તેમને તાત્કાલિક પટના એઈમ્સ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ સુરભિ રાજને મૃત જાહેર કર્યા હતા. બિહારમાં ક્રાઇમ ભયંકર ગતિથી વધી રહ્યું છે અને હત્યાની ઘટના દરરોજ બની રહી છે. લૂટ અને હુમલા ધોળા દિવસે થઈ રહ્યા છે .
સુરભિ રાજના હોસ્પિટલ પહોંચ્યા પછી, લગભગ છ ગુનેગારો દર્દીના પરિજન બનીને આવ્યા હતા. ગુનેગારો સીધા સુરભિ રાજની કેબિનમાં પહોંચ્યા અને સુરભિ રાજ પર એક પછી એક છ ગોળીઓ ચલાવી હતી. ગોળીબારનો અવાજ સંભળાતા જ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ગોળીબાર કર્યા પછી, ગુનેગારો સ્થળ પરથી ભાગી ગયા હતા.
પોલીસે આ બારામાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શા માટે ગોળીબાર થયો અને હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા પોલીસ ટીમ બનાવી છે અને કેટલાકની પૂછપરછ હાથ ધરી હતી. મારનાર સાથે શું દુશ્મની હતી તે બારામાં તપાસ થઈ રહી છે .