જામનગરના જામસાહેબનો ઐતિહાસિક નિર્ણય: પોતાના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર
ગુજરાતના જામનગરના જામસાહેબ શત્રુશૈલીસિંહજીએ શુક્રવારે તેમના વારસદારની જાહેરાત કરી હતી. જામનગરના મહારાજા જામ સાહેબ શત્રુસલ્ય સિંહજીએ દશેરાના અવસર પર એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેણે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને પોતાનો વારસદાર જાહેર કર્યો છે. જામ સાહેબે ગુજરાતી ભાષામાં પત્ર લખીને આ માહિતી આપી હતી. “દશેરા પર, હું એટલો જ ખુશ છું કારણ કે મને મારી એક સમસ્યાનું સમાધાન મળી ગયું છે અને તેની સફળતાનો શ્રેય અજય જાડેજાને જાય છે, જેમણે મારા વારસદાર બનવાનું સ્વીકાર્યું છે.
અજય જાડેજા જામનગરના છે
પૂર્વ ક્રિકેટર અજય જાડેજા કે જેઓ જામનગરના વતની છે અને નવાનગર રજવાડા સાથે તેઓ સંબંધ ધરાવે છે,અજય જાડેજા પહેલેથી જ શત્રૂશલ્યસિંહજીના નિકટના મનાય છે અને હાલના જામસાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે ,તેમણે પોતાના વારસદારની પસંદગી કરવાની હતી, જેની તેમણે આજે જાહેરાત કરી છે.જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા,જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા તેઓએ કચ્છથી સ્થળાંતર કરી હાલારમાં નવાનગરની સ્થાપના કરી હતી તેમાં 999 ગામોનો થાય છે સમાવેશ.
અજય જાડેજા પૂર્વ ક્રિકેટર છે
અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્તમ ખેલાડી રહ્યા છે. તેમણે વર્ષ 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને ઉપ-કેપ્ટન પણ હતા. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે.મેચ ફિક્સિંગમાં તેમનું નામ આવ્યા બાદ તેમના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ તે પછી જાડેજા ક્રિકેટ રમી શક્યા ન હતા. તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર હતા. તાજેતરમાં તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું.
નવાનગરના વારસદારોનો ઇતિહાસ
1-શત્રુશલ્યસિંહના પિતા દિગ્વિજયસિંહ 33 વર્ષ જામસાહેબ રહ્યા
2-કાકા રણજીતસિંહજીએ શત્રુશુલ્યસિંહને દત્તક લઇ પોતાના વારસદાર બનાવ્યા હતા
3-જામસાહેબ રણજીતસિંહજીના નામ પર ક્રિકેટની રણજી ટ્રોફી રમાય છે
4-રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલાં ભારતીય ક્રિકેટના બેટ્સમેન હતા
5-રણજીતસિંહજી અને દિલિપસિંહજીના પરિવારમાંથી અજય જાડેજા આવે છે
6-રણજીતસિંહજી 1907થી 1933 સુધી નવાનગરના શાસક હતા
7-રણજીતસિંહજીના નામ પર રણજી ટ્રોફી, દિલીપસિંહજીના નામ પર દિલીપ ટ્રોફી રમાય છે
8-શત્રુશલ્યસિંહજી પ્રથમ શ્રેણીના ક્રિકેટર હતા
9-શત્રુશલ્યસિંહજી નવાનગરના મહારાજાની ઉપલબ્ધિ મેળવનાર અંતિમ વ્યક્તિ હતા
જાડેજાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
1995માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર અજય જાડેજાએ ભારત માટે 211 મેચ રમી છે. તેણે 196 ODI મેચોમાં 69.79ના સ્ટ્રાઈક રેટથી કુલ 5359 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 30 અડધી સદી ફટકારી હતી. તેવી જ રીતે 15 ટેસ્ટ મેચમાં તેણે 39.37ના સ્ટ્રાઈક રેટથી 576 રન બનાવ્યા છે. તેણે 4 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જાડેજાની સર્વોચ્ચ ઈનિંગ્સ વનડેમાં 119 રન અને ટેસ્ટમાં 96 રનની હતી.