તા.31 માર્ચે રાજકોટમાં 49 કેન્દ્ર ઉપર યોજાશે ગુજકેટની પરીક્ષા
એ ગ્રુપમાં 4174 અને બી ગ્રુપમાં 5645 તેમજ એબી ગ્રુપમાં 7 સહીત 9826 વિધાર્થીઓ આપશે પરીક્ષા
રાજકોટ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી- ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આગામી તા.31 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે, રાજકોટમાં 49 કેન્દ્ર ઉપર ગુજકેટની પરીક્ષા યોજાશે જેમાં એ ગ્રુપમાં 4174 અને બી ગ્રુપમાં 5645 તેમજ એબી ગ્રુપમાં 7 સહીત 9826 વિધાર્થીઓ આપશે પરીક્ષા તંત્ર દ્વારા સ્થળ સંચાલકોના ઓર્ડર પણ કરી દેવાયા છે.
રાજકોટ શહેર-જિલ્લામાં 49 શાળાઓમાં 493 બ્લોકમાં 9826 વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. જેમાં એ ગ્રુપમાં 4174 અને બી ગ્રુપમાં 5645 તેમજ એબી ગ્રુપમાં 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સ્કૂલના આચાર્યને સ્થળ સંચાલક તરીકેના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. જેથી 28 માર્ચના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મીટિંગમાં પરીક્ષાલક્ષી સૂચનો કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષા હવે નજીકમાં જ છે ત્યારે આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ દ્વારા પણ ગુજકેટની પરીક્ષા માટેની હોલ ટિકિટ ઓનલાઈન અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. સંભવત આગામી સપ્તાહમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી જાય તેવી વ્યવસ્થા કરાશે.
સમગ્ર રાજ્યમાં આગામી તા.31 માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે જેમાં કુલ1,37,700 લાખ વિદ્યાર્થી ગુજકેટ પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ છે. સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ગુજકેટ લેવામાં આવનાર છે. ગુજકેટને લઇને શાળાના આચાર્યોને સ્થળ સંચાલક તરીકેના આદેશ કર્યા છે. સ્થળસંચાલક તરીકે શાળાના આચાર્યએ જ ફરજ નિભાવવાની રહેશે, અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં. નજીકના કોઈ સગા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં ઉપસ્થિત થનાર નથી તે શરતે નિમણૂક સોંપઈ છે.