ગુજરાતના નવા મંત્રીમંડળે લીધા શપથ : હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, દાદાના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નવી ટીમ આજે જાહેર થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપમાં જોડાયા બાદ કેટલાક ભૂતપૂર્વ કોંગ્રેસના નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યા છે. આ મંત્રીમંડળ વિસ્તરણ 2027 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય નવી ઉર્જાનો સંચાર કરવાનો અને પક્ષ સંગઠનને મજબૂત બનાવવાનો છે. આ મોટો રાજકીય ફેરબદલ ગુજરાતમાં ભાજપની પકડ મજબૂત કરવા માટે કરવામાં આવ્યો હતો. વધુમાં, યુવાનોને વધુ જવાબદારીઓ આપીને પક્ષને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.
હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી

હર્ષ સંઘવીએ મંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા.
ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ શપથ લીધા
ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળ 2.0 ના સભ્ય તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા. વાજા કોડીનાર મતવિસ્તારના ધારાસભ્ય છે.
અર્જુન મોઢવાડિયાએ શપથ લીધા
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્ય તરીકે અર્જુન મોઢવાડિયાએ શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા.
નવું મંત્રીમંડળ રાજ્યના તમામ પ્રદેશોમાંથી સંતુલન જાળવી રાખે છે. નવ મંત્રીઓ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના છે અને છ મધ્ય ગુજરાતના છે. દક્ષિણ ગુજરાતના પાંચ, ઉત્તર ગુજરાતના ચાર અને દર્શન વાઘેલા અમદાવાદના છે. દાદાના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. નવા સાત મંત્રી મળ્યા, કેબિનેટ કક્ષાના પાંચ મંત્રીઓ માંથી ત્રણ અને રાજ્યકક્ષાના 15 મંત્રી પૈકી ચાર મંત્રી નવા મળ્યા, કુંવરજીભાઈ બાવળીયા, પરસોત્તમભાઈ સોલંકી યથાવત રહ્યા છે.
આ પણ વાંચો :મુખ્યમંત્રીનું નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્રભાઈની નવી ટીમમાં મહિલાઓને પ્રાધાન્ય, જાણો કોનો કરાયો સમાવેશ
નવા મંત્રીમંડળમાં મહિલાઓને પ્રાધાન્ય
ગત ટર્મમાં માત્ર એક મંત્રી ભાનુબેન બાબરીયા હતા તેમને પડતા મુકાયા, ત્રણ મહિલાઓનો સમાવેશ, અમદાવાદ અસારવાના દર્શનાબેન વાઘેલા સૌરાષ્ટ્રમાંથી રિવાબા જાડેજા અને વડોદરાના મનીષાબેન વકીલનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :મુખ્યમંત્રીનું નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્રભાઈની નવી ટીમમાં મહિલાઓને પ્રાધાન્ય, જાણો કોનો કરાયો સમાવેશ
મનીષા વકીલ:
મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે. મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.તેઓ વડોદરાની શાળાનાં સુપરવાઇઝર તરીકે તથા સૉલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાનાં પણ સભ્ય હતાં
રીવાબા જાડેજા :
રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે . તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ચૂંટાયા હતા. રીવાબા ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે.
દર્શના વાઘેલા:
દર્શના વાઘેલા ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હતા.તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમણે મહિલા કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે બે એક વર્ષના કાર્યકાળ માટે સેવા આપી. ઓક્ટોબર 2010માં તેઓ ફરીથી ચૂંટાયા હતા.
જુના બે મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા પરસોતમ સોલંકી યથાવત
સૌરાષ્ટ્રનું વજન વધ્યું, જુના બે મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા પરસોતમ સોલંકી યથાવત છે. અન્ય છ નવા ચહેરા મોરબીના કાંતિ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, કોડીનારના ડોક્ટર પ્રદ્યુમન વાંજા, અમરેલીના કૌશિક વેકરીયા, ભાવનગરના જીતુ વાઘાણીને સ્થાન મળ્યું
નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધ્યું છે.
નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધ્યું. કુંવરજી બાવળિયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર), કાંતિભાઈ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરિયા (અમરેલી), અર્જુન મોઢવાડીયા (પોરબંદર), જીતુભાઇ વાઘણી (ભાવનગર), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)ને આવ્યો ફોન હતો.
