Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતના નવા મંત્રીમંડળે લીધા શપથ : હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, દાદાના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો

Fri, October 17 2025

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નવી ટીમ આજે જાહેર થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપમાં જોડાયા બાદ કેટલાક ભૂતપૂર્વ કોંગ્રેસના નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યા છે. આ મંત્રીમંડળ વિસ્તરણ 2027 ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય નવી ઉર્જાનો સંચાર કરવાનો અને પક્ષ સંગઠનને મજબૂત બનાવવાનો છે. આ મોટો રાજકીય ફેરબદલ ગુજરાતમાં ભાજપની પકડ મજબૂત કરવા માટે કરવામાં આવ્યો હતો. વધુમાં, યુવાનોને વધુ જવાબદારીઓ આપીને પક્ષને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી

હર્ષ સંઘવીએ મંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા.

ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ શપથ લીધા

ડૉ. પ્રદ્યુમ્ન વાજાએ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળ 2.0 ના સભ્ય તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા. વાજા કોડીનાર મતવિસ્તારના ધારાસભ્ય છે.

અર્જુન મોઢવાડિયાએ શપથ લીધા

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્ય તરીકે અર્જુન મોઢવાડિયાએ શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા.

નવું મંત્રીમંડળ રાજ્યના તમામ પ્રદેશોમાંથી સંતુલન જાળવી રાખે છે. નવ મંત્રીઓ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના છે અને છ મધ્ય ગુજરાતના છે. દક્ષિણ ગુજરાતના પાંચ, ઉત્તર ગુજરાતના ચાર અને દર્શન વાઘેલા અમદાવાદના છે. દાદાના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે. નવા સાત મંત્રી  મળ્યા, કેબિનેટ કક્ષાના પાંચ મંત્રીઓ માંથી ત્રણ અને રાજ્યકક્ષાના 15 મંત્રી પૈકી ચાર મંત્રી નવા મળ્યા, કુંવરજીભાઈ બાવળીયા, પરસોત્તમભાઈ સોલંકી યથાવત રહ્યા છે.

આ પણ વાંચો :મુખ્યમંત્રીનું નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્રભાઈની નવી ટીમમાં મહિલાઓને પ્રાધાન્ય, જાણો કોનો કરાયો સમાવેશ

નવા મંત્રીમંડળમાં મહિલાઓને પ્રાધાન્ય

ગત ટર્મમાં માત્ર એક મંત્રી ભાનુબેન બાબરીયા હતા તેમને પડતા મુકાયા, ત્રણ મહિલાઓનો સમાવેશ, અમદાવાદ અસારવાના દર્શનાબેન વાઘેલા સૌરાષ્ટ્રમાંથી રિવાબા જાડેજા અને વડોદરાના મનીષાબેન વકીલનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :મુખ્યમંત્રીનું નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્રભાઈની નવી ટીમમાં મહિલાઓને પ્રાધાન્ય, જાણો કોનો કરાયો સમાવેશ

મનીષા વકીલ:

મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે. મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.તેઓ વડોદરાની શાળાનાં સુપરવાઇઝર તરીકે તથા સૉલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાનાં પણ સભ્ય હતાં

રીવાબા જાડેજા :

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે . તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ચૂંટાયા હતા. રીવાબા ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે.

દર્શના વાઘેલા:

દર્શના વાઘેલા ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હતા.તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમણે મહિલા કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે બે એક વર્ષના કાર્યકાળ માટે સેવા આપી. ઓક્ટોબર 2010માં તેઓ ફરીથી ચૂંટાયા હતા.


જુના બે મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા પરસોતમ સોલંકી યથાવત

સૌરાષ્ટ્રનું વજન વધ્યું, જુના બે મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા પરસોતમ સોલંકી યથાવત છે. અન્ય છ નવા ચહેરા મોરબીના કાંતિ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, કોડીનારના ડોક્ટર પ્રદ્યુમન વાંજા, અમરેલીના કૌશિક વેકરીયા, ભાવનગરના જીતુ વાઘાણીને સ્થાન મળ્યું

નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધ્યું છે.

નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધ્યું. કુંવરજી બાવળિયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર), કાંતિભાઈ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરિયા (અમરેલી), અર્જુન મોઢવાડીયા (પોરબંદર), જીતુભાઇ વાઘણી (ભાવનગર), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)ને આવ્યો ફોન હતો.



Share Article

Other Articles

Previous

દાદા સરકારનું નવું મંત્રીમંડળ : 19 નવા ચહેરાઓ, 8 કેબિનેટ મંત્રી, આ દિગ્ગજોનું પત્તું કપાયું, જાણો કોને પડતાં મુકાયા

Next

દિવાળી કાર્નિવલ અને રંગોળી સ્પર્ધાને કારણે રાજકોટના રેસકોર્સ રિંગરોડનો અંદરનો ભાગ બંધ : પોલીસનું જાહેરનામું પ્રસિદ્ધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
14 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
14 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
14 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
15 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

મનપાની ૪૦ કરોડની જમીન પર બંધાઈ ગયા ૧૩ ઝુંપડા !
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આતંકના કાંટાને હવે કાઢીને જ રહેશું, જનતા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરે, ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
રેખા અભિનીત ફિલ્મ ‘ઘર’એક સવાલ પૂછે છે : એક કપલ બળત્કાર પછી કઈ રીતે જિંદગી પસાર કરે ??
Entertainment
1 વર્ષ પહેલા
વરસાદથી ભરાય ત્યારની વાત ત્યારે, અત્યારે નર્મદા નીરથી આજી ડેમ ભરવાનું શરૂ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર