ગુજરાત સરકારે ગેરકાયદે વસવાટ કરતા 50 બાંગ્લાદેશીઓની કરી અટકાયત : 15 બાંગ્લાદેશીઓને કરાયા ડિપોર્ટ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે વસવાટ કરતા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગેરકાયદેસર વસતા 50 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. વધુ 35 ને આવનારા સમયમાં ડિપોટ કરવામાં આવશે. બાંગ્લાદેશ દ્વારા પણ પોતાના નાગરિકો હોવાનું સ્વીકાર્યુ.

મળતી માહિતી અનુસાર તેમાંથી 16 જેટલાને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે. જેમાં એક સગીર સામેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશવિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા.જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આપી માહિતી
Ahmedabad Crime Branch Cracks Down on Anti-National Activities!
— Harsh Sanghavi (@sanghaviharsh) February 12, 2025
Successfully deported 15 immigrants to Bangladesh.
– Identified and arrested persons involved in trafficking minor girls for prostitution
– Busted a racket producing fake Indian documents for illegal immigrants
-… pic.twitter.com/agkzS5gkHU
મળતી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા 50માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાને ઝડપી લેવામાં આવ્યા છે.