સરકારનું ડેમેજ કંટ્રોલ : કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ, હિતુ કનોડિયાને સોંપી જવાબદારી
-હિતુ કનોડિયાને સોંપી જવાબદારી : વિક્રમ ઠાકોર, મલ્હાર ઠાકર સહિતના ૨૦૦ કલાકારોને આજે અને કાલે બોલાવ્યા
ગાંધીનગર
થોડા દિવસો પહેલાં વિધાનસભામા યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. આ મામલો ગુજરાત રાજ્ય, રાજકારણ, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બનતાં હવે સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે.
તા. 26-27 માર્ચે વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 200થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકારે આ માટે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અને જનક ઠક્કરને જવાબદારી સોંપી છે.
થોડા સમય પહેલા વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
‘