વિસાવદરની બેઠક ઉપર ગોપાલ ઈટાલીયા આપના ઉમેદવાર જાહેર
આગામી સમયમાં યોજાનારી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલીયાને ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી પંચે હજુ સુધી મતદાનની તારીખ જાહેર કરી નથી પરંતુ આમ આદમી પાર્ટી અત્યારથી આ બેઠક ઉપર નજર રાખી રહી છે અને જીતનો વિશ્વાસ ધરાવે છે. ૨૦૨૨ની ચૂંટણીમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઇ હતી પણ તેની આ જીત સામે ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ 2022ના પીટિશન કરી હતી જેને તેમણે ગત સપ્તાહે પાછી ખેંચી લીધી હતી.હવે કાનૂની ગૂંચ ઉકેલાતા વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 182 બેઠકવાળી પણ ખંડિત થતી રહેલી વિધાનસભામાં હાલ વિસાવદર અને કડી બે બેઠક ખાલી છે. બંને સીટ માટે જુલાઈમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે.
2022માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી જીતનારા ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠકથી રાજીનામું આપ્યું હતું, હવે આ બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે.