Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

તિરુપતિથી લઈ દ્વારિકાધીશને અર્પણ થતાં સોનાના આભૂષણો બને છે રાજકોટમાં : સોની બજારમાં બારેય માસ બને દેવોના આભૂષણો

Wed, October 8 2025

સોનાના ભાવ હજારો કે લાખોમાં પહોંચી ગયા હોવા છતાં રાજકોટની સોનીબજારમાં ભક્તિનો જ્યોત કદી મંદ પડતી નથી. વર્ષના બારેય મહિના અહીં ભગવાન માટેનાં સોના અને ચાંદીનાં આભૂષણો બનતા રહે છે. ભક્તોની શ્રદ્ધા અને કારીગરોની કળા સાથે રાજકોટની આ સોનીબજાર દેશ-વિદેશનાં મંદિરોમાં ચડાવાતા દાગીનાઓ માટે ખાસ ઓળખ ધરાવે છે.

રાજકોટની સોનીબજારને મનમોહક ડિઝાઇનની જવેલરી માટે તો વિશ્વવિખ્યાત ગણવામાં આવે છે, પણ અહીં બનેલી ટેમ્પલ જવેલરી પણ એટલી જ પ્રસિદ્ધ છે. તિરુપતિ બાલાજી, સોમનાથ, દ્વારકાધીશ, શ્રીનાથજી, ગોકુળ, મથુરા, બરસાના, ગઢડા સ્વામીનારાયણ મંદિરથી લઈને વિદેશમાં આવેલા અનેક મંદિરો સુધી ભગવાન માટેના સોના-ચાંદીના આભૂષણો રાજકોટમાંથી જ બને છે.

અહીંના કારીગરો ભગવાનના આભૂષણો બનાવતાં પહેલાં ભક્તની ભાવનાને ધ્યાનમાં રાખે છે. 200 મિલીમીટર જેટલા નાનકડા આભૂષણથી લઈને 200 ગ્રામ સુધીનાં ભારે દાગીનાં કળાત્મક રીતે હેન્ડમેઇડ બનાવવામાં આવે છે.

હવેલીઓથી લઈને મોટા મંદિરો સુધી પહોંચે રાજકોટનાં આભૂષણો

વર્ષોથી મંદિરો માટે જવેલરી બનાવતા વિમલભાઈ સોની જણાવે છે કે,જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર દરમિયાન ઠાકોરજી અને દ્વારકાધીશ માટેના વિશેષ શૃંગારની માંગ વધે છે. અમે ભગવાન માટે બાંસુરી, ઝાંઝરા, કડા, મુગટ, નેત્ર, ચિબુક, નથણી, બાજુબંધ અને હાંસડી જેવા દાગીનાં બનાવીએ છીએ. દરેક દાગીના પાછળ ભક્તિ અને કળાનો સંગમ હોય છે.આ આભૂષણો માત્ર સોનાં-ચાંદીના ન રહેતાં, ભક્તિના સ્પર્શથી “પવિત્ર અર્પણ” બની જાય છે.

સોનાના ભાવ ઉંચા છતાં ભક્તિમાં અડગતા

આ સમયે સોના અને ચાંદીના ભાવ આસમાને છે. તેમ છતાં દિવાળી જેવા તહેવારોમાં ભક્તો ભગવાન માટે દાગીના અર્પણ કરવાનું ભૂલતા નથી.રાજકોટના સોની વેપારી પ્રશાંત પાટડીયા કહે છે કેધનતેરસ અને દિવાળી દરમ્યાન લોકો પોતાની ખરીદી તો બજેટ પ્રમાણે કરે છે, પણ ભગવાન માટેના દાગીના બનાવવા ક્યારેય પાછળ પડતા નથી. આ સમયમાં લક્ષ્મીજી, ગણેશજી અને શુભલાભ-સ્વસ્તિકની લગડી, સિક્કા અને ગીનીનું વેચાણ પણ વધે છે.

આ પણ વાંચો :લો બોલો! રાજકોટની ભાગોળે મહીકા ગામે કૌભાંડિયાએ સરકારી જમીનમાં આખી સોસાયટી ઉભી કરી નાખી

વાગડીયા બંધુઓએ સોનાની તલવાર,ઢાલ, સોનાની જીભ અને નેત્ર બનાવ્યાં

હેરીટેજ અને ટેમ્પલ જવેલરી બનાવવામાં નામના ધરાવતાં શિરીષભાઈ વાગડીયા કહે છે કે,અહીં દરેક દાગીનાં હેન્ડવર્કથી બનાવાય છે. સૌપ્રથમ ડ્રોઇંગ તૈયાર કરી આરીથી ઘાટ અને નકશીકામ થાય છે. તાજેતરમાં એક ભાવિકએ ભગવાન માટે સોનાની તલવાર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો, જે આપણે બનાવી સોનાની તલવાર,ઢાલ બનાવી આપી તેમને ભગવાનને અર્પણ કરી છે.સુનિલભાઈ અને નવનીતભાઈ વાગડીયા ઉમેરે છે કે,નવરાત્રિના પ્રસંગે માતાના મઢ માટે માતાજીની સોનાની જીભ અને નેત્ર બનાવ્યા હતા. આ ઉપરાંત તિલક, મોળીયો, હાર અને અન્ય શૃંગાર માટેના દાગીનાંનાં ઓર્ડરો મળે છે.રાજકોટની સોનીબજાર હવે ટેમ્પલ જવેલરીની હેરીટેજ ગેલેરી તરીકે પણ ઓળખાઈ રહી છે, જ્યાં ભક્તિ અને કારીગરીનું અનોખું સંગમ જોવા મળે છે.

Share Article

Other Articles

Previous

દિવાળીનો અજવાસ: રાજકોટમાં રહેતા કિશોરભાઈ આંખે પાટા બાંધી 1 મિનિટમાં બનાવે છે 14 દીવા, ‘ઓપરેશન સિંદૂર’ના દીવડા આકર્ષણનું કેન્દ્ર

Next

લો બોલો! રાજકોટની ભાગોળે મહીકા ગામે કૌભાંડિયાએ સરકારી જમીનમાં આખી સોસાયટી ઉભી કરી નાખી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
1 દિવસ પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
2 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
2 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

વ્યવસાય ચાલુ રાખવા માટે MSME માટે વિશેષ ક્રેડિટ પ્રોગ્રામ : મુદ્રા લોનની રકમ રૂ.10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરાઈ
Breaking
1 વર્ષ પહેલા
રામ મંદિરમાં પુજારીઓ માટે ડ્રેસ કોડ લાગુ થશે : સ્માર્ટ ફોન પર પ્રતિબંધ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
‘ગેાબરી’ જમીન વેચી માતા-બે પુત્રીએ બિલ્ડરને ચેાપડ્યેા ૧.૨૦ કરેાડનેા ચૂનેા !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મંગળવારે ધનતેરસનુ મહત્વ : પૂજન અને શુભ સમયની યાદી
રાજકોટ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર