Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવ્યો : અંજલિબેન સહિત 13 સભ્યો અદાણીનાં ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યાં

Mon, June 16 2025

અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા હતા ત્યારે આજે વિજયરૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવારના મોભીની વસમી વિદાયથી પત્ની અંજલીબેન રૂપાણી, દીકરો ઋષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી ભાંગી પડ્યા હતા. ત્યારે સ્વ.વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ લઈને અમદાવાદથી ખાસ પ્લેન હીરાસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું ત્યારબાદ એમ્બ્યુલન્સ રાજકોટ આવવા રવાના થઈ હતી.  અંજલિબેન રૂપાણી સહિત 13 સભ્યો અદાણીનાં ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યાં હતા. ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે અને વિજય રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે.

\



રાજકીય સન્માન સાથે પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મૃતદેહ સોમવારે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થઈ જતાં તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવા આવ્યો હતો. સોમવારે સિવિલ હોસ્પિટલમાં જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે તેમના પત્ની અંજલી રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો હાજર હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓ પણ હાજર હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

બપોરે 2 વાગ્યે વિજયભાઈનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચશે

બપોરે 2 વાગ્યે વિજયભાઈનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ રાજકોટ આવવા રવાના થઈ હતી.  અંજલિબેન રૂપાણી સહિત 13 સભ્યો અદાણીનાં ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યાં હતા. ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા છે અને વિજય રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. એકંદરે ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, ત્યાંથી સામેના રોડથી બાલક હનુમાન ચોક, કે.ડી.ચોકથી સંતકબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ થઈને પારેવડી ચોક, ત્યાંથી કેસરી હિંદ પુલથી સિવિલ હોસ્પિટલ ચોક, ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ, ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડથી નિર્મલા કોન્વેન્ટ રોડ અને ત્યાંથી પ્રકાશ સોસાયટીમાં કે જ્યાં વિજયભાઈ રૂપાણીનું નિવાસસ્થાન છે ત્યાં પાર્થિવ દેહ પહોંચશે. અહીં બપોરે 4થી 5 વાગ્યા દરમિયાન (પુજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે) પાર્થિવ દેહ દર્શનાર્થે રાખવામાં આવશે.

આ પણ વાંચો : પાપા, મેરી જાન..કાશ,પ્લેન ક્રેશ ન થયું હોત તો રાધિકા રૂપાણીએ પિતા વિજય રૂપની સાથે ‘ફાધર્સ ડે’ સેલિબ્રેટ કર્યો હોત!

સાંજે પાંચ વાગ્યાથી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા શરૂ થશે

ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાથી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા શરૂ થશે જે પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન)થી નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકિઝ રોડ, સ્વામિનારાયણ મંદિર-ભૂપેન્દ્ર રોડથી રામનાથપરા સ્મશાન પહોંચશે જ્યાં તેમની અંતિમક્રિયા કરવામાં આવશે.

આ પણ વાંચો : આજે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓ રાજકોટમાં : વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારમાં રહેશે હાજર

આ પછી બીજા દિવસે એટલે કે આવતીકાલે બપોરે 3થી 6 દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા થશે. તા.19ને ગુરૂવારે સવારે 9થી 12 દરમિયાન ગાંધીનગર ખાતે હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, એક્ઝિબિશન સેન્ટર હોલ નં.1 ખાતે પ્રાર્થના સભા યોજાશે અને તા.20ને શુક્રવારે સાંજે 4થી 6 દરમિયાન વિજયભાઈ રૂપાણી તેમજ દૂર્ઘટનાના તમામ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કમલમ્, કોબા-ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજાશે.

Share Article

Other Articles

Previous

સમગ્ર રાજકોટનો શોકમાં ગરકાવ : વિજયભાઈના અંતિમ દર્શન કરવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Next

પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ રાજકીય સન્માન સાથે પરિવારને સોંપાયો : પત્ની અંજલીબેન ભાંગી પડ્યા, જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટના કલેકટર પ્રભવ જોશી સહિત રાજ્યના 13 આઈએએસ અધિકારીની બદલી, પ્રભવ જોષી ટુરીઝમ કોર્પોરેશનના એમડી બન્યા, રાજકોટના નવા કલેક્ટર તરીકે ડોક્ટર ઓમ પ્રકાશ
17 સેકન્ડ પહેલા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળી શકે : પ્લેનક્રેશ દુર્ઘટનાને પગલે લેવાશે નિર્ણય
15 કલાક પહેલા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઇ સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભા : રૂપાણી પરિવારના દુ:ખમાં સહભાગી થયા સંત-મહંત-રાજકીય આગેવાનો   
16 કલાક પહેલા
ઋષભ શેટ્ટી માંડ-માંડ બચ્યા : kantara 2ના શૂટિંગ વખતે 30 ક્રૂ મેમ્બર ભરેલી હોડી પલટી, આ પહેલા પણ થઈ ચૂક્યા છે અકસ્માત
17 કલાક પહેલા
Categories

નેશનલ

2191 Posts

Related Posts

ગુજરાત ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં લીડ લેવા સજ્જ
ગુજરાત
1 વર્ષ પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ ઈન્દોરમાં બે જૂથ વચ્ચે હિંસા : જામા મસ્જિદ પાસે વાહન-દુકાનોમાં તોડફોડ-આગચંપી, પોલીસ તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
ગિલ બેટિંગમાં સિરાજ બોલિંગમાં `સરતાજ’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં કેટલા રૂપિયા ઠાલવ્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર