પીપી સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની દીકરીઓની લાગણીસભર વિદાય
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને મોરારીબાપુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે ૫૦,૦૦૦ તુલસીના છોડનું વિતરણ

પીપી સવાણી ગ્રુપ દ્વારા ‘પિયરીયું’ નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં દીકરીઓએ મહાનુભાવોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ ૫૨૭૫ દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સાકરના મંત્રીમુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી, પ્રફુલ્લભાઇ પાનસેરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જનકભાઈ તળાવીયા, મેયર દક્ષેશ માવાણી જેવા રાજકીય મહાનુભાવોની સાથે સંતો પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય સત સ્વામી, પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ, પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય સંતોષનાથ બાપુ, પૂજ્ય ગીરી બાપુ, પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે આઇમા પૂજ્ય દેવળમા પૂજ્ય દિપાલી દીદી, પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા.
સ્વાગત પ્રવચન મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે નિભાવું છું. મારી દીકરીને કરિયાવરમાં હું બાપ તરીકેની જવાબદારી આપું છું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા ૧૩ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૫૨૭૪ દીકરીના પિતા બની ગયા છે. વર્ષ ૨૦૧૧ થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે.
પૂજ્ય મોરારીબાપુ જણાવ્યું હતું કે, મહેશભાઈ એ કાસ્ટને નહિ પણ રાષ્ટ્રને મહત્વ્ય આપ્યું છે. એટલે જ દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરી એમના આંગણેથી પરણી છે. બાપ તરીકે દીકરીની દેખભાળ રાખી તેમનાં સંતાનની અને એમના શિક્ષણ, આરોગ્યની સંભાળ છે એ મારા માટે સુખદ આશ્ચર્ય થયું છે. નવદંપતીને સમ્પન્ન અને પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપ્યા હતા.
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પીને દંપતીએ ફેરા લીધા
પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ‘પિયરીયું’ લગ્ન સમારોહમાંબીજા દિવસે ૫૬ દીકરીઓની વિદાય સાથે બે દિવસમાં ૧૧૧ દીકરીઓએ સવાણી પરિવારના આંગણેથી ભાવસભર વિદાય લીધી હતી. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા દોઢ દાયકાથી પૂરું પાડે છે. ૧૫મી ડીસેમ્બર સરદાર પટેલની પુણ્યતિથી એ એમની પૂર્ણ કદની પ્રતિમા આગળ દરેક દીકરી અને જમાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એ પછી એમણે લગ્નવિધિમાં જોડાયા હતા. લગ્ન પહેલા સરદાર સાહેબને અંજલી આપવાની એક અનોખી ઘટના આજે પિયરીયું લગ્નસમારોહમાં બની હતી.
લગ્નસમારોહમાં જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થયા છે, તે તમામ દીકરીઓનું જે ઘરે સાસરે જવાની છે, તેમના સાસુ-સસરા દ્વારા આ દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માનીને દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું. જેમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી, વલ્લભભાઈ સવાણી તથા મહેમાનો સહભાગી બન્યા હતા. શાળામાં પૂજ્ય મોરારિબાપુ એ એક વૃક્ષ રોપીને શાળા અને તેના વિદ્યાર્થીઓ વટવૃક્ષ સમાન બને તેવા આશીર્વાદ આપ્યા હતા. શાળા માં એડમીશન લેનાર પ્રથમ બે બાળકો ને બાપુએ સ્મૃતિ ભેટ આપીને નવાજ્યા હતા.