ઇલેક્શન મોડ? દેવામાં ડુબેલાઓને બચાવવા કર્ઝા મુક્તિ અભિયાન: 26મીએ રાજકોટમાં સંમેલન, શંકરસિંહની પાર્ટીએ બીડું ઉપાડ્યું
દેશમાં મોટા મોટા ઉદ્યોગપતિઓને મોટી મોટી લોનો મળે, રાહત મળે, માફી મળે તો સામાન્ય નાના ધંધાર્થીઓ કે આવા લોકોને રાહત કેમ ન મળી શકે, સરકાર ધારે તો બધું કરી શકે. દેવા કર્ઝને કારણે આપઘાત કરી લેવા સુધીના પરિવારો વિખાઈ જવાના કરુણ બનાવો બને છે . આવું ન થાય અને કોઈ હલ નીકળે એ માટે અમે કર્જા મુક્તિ અભિયાન ચાલુ કર્યું છે આવા શબ્દો હતા રાજકોટ આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાના. આગામી તા.૨૬ને ગુરુવારના રોજ રાજકોટમાં કરજમાં આવેલા કે મદદ ઇચ્છતા સૌરાષ્ટ્રભરના લોકોનું સંમેલન મળશે.
રાજકીય પાર્ટીઓ બનાવી ચુકેલા અને બદલાવી ચુકેલા પીઢ રાજકારણી શંકરસિહ વાઘેલાએ ગત ઈલેકશન સમયે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી હતી, આ પાર્ટીના નેજા હેઠળ હવે કર્ઝ મુક્તિ અભિયાન ચાલુ કરાયું છે. અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહનવાજ ચૌધરી, પ્રદેશ પ્રભારી રાજેશ્વર ભટ્ટ, ગુજરાત નાગરિક પરિષદના પ્રમુખ વાશુદેવભાઈ પટેલ સહિતના આયોજનના ભાગરૂપે રવિવારે રાજકોટ આવ્યા હતા. શંકરસિહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતીઓ કર્ઝને લઇ ધંધા રોજગારમાં 10, 20 કરોડનો વેપાર કરતા હતાએ નોકરીઓ કરવા લાગ્યા એવી સ્થિતિ થઇ રહી છે.તેઓને લોનમાં નથી રાહત મળતી કે સમય જયારે દેશમાં કરોડોનો કરજ લેનારાઓને માફી પણ મળી જાય અમારી સરકારને અપીલ છે કે ગુજરાતીઓના દેવાઓમાં રાહત મળે કરજ મુક્ત કરો. આ માટે કર્ઝ મુક્ત અભિયાન ચાલુ કરાયું છે. આરબીઆઈ તેમજ કાયદાકીય નિયમો સાથે કર્ઝ મુક્ત કરાવશું રાહત અપાવશું. એવી પણ ચેલેન્જ કરી કે કર્ઝ મુક્તિ અપાવવા જેલમાં જવું પડે તો જશું.
અમદાવાદમાં રીવર ફ્રન્ટ મેદાનમાં સંમેલન કરી ચુક્યા છીએ આગામી તા.26ના રોજ 150 ફૂટ રીંગરોડ શીતલ પાર્ક પાસે આવેલા આશાપુરા પાર્ટી પ્લોટ ખાતે સવારે દશ કલાકે સંમેલન મળશે. ચૌધરીએ કહ્યું કે સંમેલન સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ રખાયું હતું પણ તંત્ર દ્વારા આ ગ્રાઉન્ડ આપવાની ના કહી દેવી.
રાજકોટમાં મીડિયા સમક્ષ શંકરસિહ વાઘેલાએ કહ્યું કે સરકાર ધારે તો કરી શકે અમારી સરકારમાં ખેડુતોનું 72000 કરોડ દેવું માફ કરાયું હતું. અત્યારે ગુજરાત સરકાર પર ચાર લાખ કરોડનું દેવું છે. નાના માનસોને કર્ઝ મુક્ત કરને એક લાખ કરોડ વધે તો શું. સરકારે સાચા અર્થમાં માંબાપનો રોલ પ્લે કરવો જોઈએ. નેશનલાઈઝ નહી ખાનગી બેંકો, કંપનીઓ , વ્યાજ વાળાઓ દ્વારા જે રીતે રીકવરી માટે હેરાન કરાય છે તેની સામે લડત આપશું. કર્ઝમાં રાહત મુદ્દત સમય અપાવવા અભિયાન કરશું. કર્ઝને લઈને કોઈએ અઘટિત પગલું ન ભરવા પણ અપીલ કરી છે સાથે એવું પણ કહ્યું કે જેની દાનત નકામી હશે એવા લોકોને સપોર્ટ નહિ કરીએ. તેમને આવો અમારી સાથે આવતીકાલ માટે સરકાર બનાવીએ શબ્દ ઉચ્ચારતા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અને ત્યારબાદ આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી હોવાથી શું ઇલેકશન લક્ષી કર્ઝ મુક્ત અભિયાન હશે ? તેવો પ્રશ્ન પણ ઉદ્ભવે.
