ગુનાખોરીને ઇજન! વેપન પકડાય તેમાં મહત્તમ તો મૃતકોના નામે જ ચડી જાય, રાજકોટમાં ધાણીફૂટ ભડાકા થયા તેમાંથી પોલીસે ઘડો લેવા જેવું ખરું
રાજકોટ શહેરમાં જે રીતે બે ગેંગ વચ્ચે ધડાધડ ધાણીફૂટ ફાયરિંગ થયા તેમાં બેશક પણ હથિયારો બે નંબરના જ હોય, પોલીસ માટે પડકારરૂપ અને સમગ્ર શહેરમાં આંચકો પમાડનાર ફિલ્મી સ્ટાઈલ ગેંગવોર જેવી આ ઘટનામાં પોલીસ દોડી અને આરોપીઓને રાઉન્ડ-અપ કર્યા છે. કાયદાનું ભાન કરાવાયું છે તે સારી બાબત છે પણ હથિયારોમાં એક મોટું દૂષણ એ હોય છે કે મહત્તમમાં સપ્લાયર તરીકે નામ મૃતકોના જ ખૂલે છે અથવા મૃતકોના નામે ચડાવી દેવાય છે.
આવા કારણોસર પણ સંભવતપણે ગુનાખોરી કે ગુનેગારોને ઇંજન મળે છે. ગેરકાયદે હથિયારો તમંચા, દેશી પિસ્ટલ કે આવા વેપન રાજકોટમાં ક્યારેક ક્યારેક ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી કે જે તે પોલીસ મથકની પોલીસ પકડતી રહે છે. હથિયાર કાર્ટિસ પકડાયા તેમાં મહત્તમપણે હથિયાર ક્યાંથી લાવ્યો કે આવ્યું ? એ બાબતમાં પકડાયેલા શખસ પાસેથી મૃતકના જ એટલે કે વેપન સાથે પકડાયેલો ઈસમ તેના જ કોઈ જાણીતા અથવા તો અગાઉ ગુનાખોરીમાં આવી ચૂકેલા અને હૈયાત ન હોય એવા શખસના નામ આપી દેવા હોય છે. પોલીસ પણ સાચું માનીને આરોપીની કેફિયત કે નામ શીરાની માફક ગળે ઉતારી લેતી હોય છે. આની પાછળ એવી વાતો હોય છે કે સેટિંગ થઈ જતાં હોય છે. પોલીસને પણ ધાર્યું, ભાવતું મળી જતું હોવાથી હથિયાર સપ્લાયરમાં મૃતકના નામે આવી જતાં કેસ ત્યાં જ ધરબાઈ કે ભોંમાં ભંડારાઈ જાય છે.
પોલીસ સાથે ગોઠવણ કરીને અથવા તો પોલીસને ઉંધા ચશ્મા પહેરાવી દેતા હોવાની માફક હથિયારમાં મૃતક કે અન્ય પ્રાંતમાં ગયા હતા ત્યાંથી અજાણ્યા ઈસમ પાસેથી લઈ આવ્યા હતા કે કોઈ એવા પરપ્રાંતિય નામો આપી દે કે આ ફલાણા પાસેથી હથિયાર લીધું હતું જેથ છેડો ત્યાં જ અટકી જાય અને ખરેખર ખર વેપન સપ્લાયર આબાદ બચી જતો હોય તેવ પણ બને. પોલીસની આવી તપાસને લઈને આરોપીને કાનૂની ગુંચમાંથી મુક્ત થવાની પણ સરળતા મળી જતી હોય છે.
વેપન કેસમાં જામીન મુક્ત થયા બાદ ફર એને એ જ રવાડે ચડી જતાં હોય તેવું બન હોય. જો પોલીસ આરોપીઓના શબ્દોમાં વિશ્વાસ કરવાના બદલે હથિયાર આપનારનું ખરું નામ-કઢાવી લે અને આવા તત્વોની પણ ધરપકડ કરે તો ગેરકાયદે હથિયાર રાખનારા કે આપનારાઓ ન્યુસન્સ પણ કન્ટ્રોલમાં આવી શકે. જો કે આ બધું કરવા માટે પોલીસે શેહરશરમ, સેટિંગ છોડવા પડે. ગેરકાયદે હથિયારો પકડાય છે તેન જૂના ટ્રેક રેકોર્ડ પણ ચેક થાય તો મહત્તમમ આપનારાઓમાં મૃતકો કે પરપ્રાંતિયોના જ નામ ખૂલ્યા હશે. ખરેખર ક્યારેક તો મૃત્યુ પામ્યા-વર્ષો વિત્યા હોય તો પણ આરોપી તેનું નામ આપે તે ખૂલી જતું હોય છે.
રાજકોટ જ નહીં અન્ય શહેર-જિલ્લાઓમ પણ આવું જ થતું રહે છે. જો ખરા અર્થમાં ના-ખૂલતા હોય તો યોગ્ય છે નહીં તો ગુનેગારો અ ગુનાખોરીને એક પ્રકારે ઇંજન એટલે કે આડકતર છૂટ મળવા જેવું કહી શકાય. રાજકોટમાં બે દિવસ-પૂર્વે મંગળવારે મોડી રાત્રે થયેલા ફાયરિંગમ હથિયારો ક્યાંથી આવ્યામાં કોના નામ ખૂલશે તે જોવું રહ્યું?
